અમદાવાદ / કોરોનાના કહેર વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને કરાયો આ મહત્વનો નિર્ણય

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રામાં રથ ખેંચનારા ખલાસીઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે. ત્રણ રથ માટે માત્ર 90 ખલાસીઓ રથયાત્રામાં જોડાઈ શકશે. રથ એક સાથે માત્ર 30 ખલાસી ભાઈઓ જ જોડાઈ શકે છે.. ખલાસી અને મંદિર ટ્રસ્ટની મળેલી મિટિંગ દરમિયાન આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, દર વર્ષે 1500 જેટલા ખલાસીઓને રથ ખેંચવાનું સૌભાગ્ય મળે છે. કોરોનાના કહેરને ધ્યાને રાખીને ખલાસીઓની સંખ્યામાં ફેરફાર કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ