સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે ખૂબ કામના સમાચાર છે. જો તમે એસબીઆઈના ગ્રાહક છો કે નવું એકાઉન્ટ ખોલાવી રહ્યાં છો તો તમે 2 લાખ રૂપિયાનો ફાયદો મેળવી શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે સારાં સમાચાર
એસબીઆઈના ગ્રાહક 2 લાખ રૂપિયાનો ફાયદો મેળવી શકો છો
એસબીઆઈના ગ્રાહકને ફ્રીમાં મળે છે ઈન્શ્યોરન્સ
એસબીઆઈ પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત ઇન્સ્યોરન્સઆપી રહી છે. બેંક આ સુવિધા જન ધન એકાઉન્ટના ખાતાધારકોને આપી રહી છે. એસબીઆઈ જે ગ્રાહકોની પાસે રૂપે (RuPay) ડેબિટ કાર્ડ છે, તેમને 2 લાખ રૂપિયા સુધી મફત આકસ્મિક વીમા કવર આપે છે. RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાર લોકોને મૃત્યુ વીમો, ખરીદી સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન એકાઉન્ટ ખાતાધારક મફત ઇન્શ્યોરન્સનો લાભ ઉઠાવી શકે છે.
જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય
આ યોજના હેઠળ વ્યક્તિગત દુર્ઘટના પોલિસી ભારતની બહાર થયેલી ઘટના પર પણ કવર થાય છે. જરુરી દસ્તાવેજ જમા કરાવવા પર વીમા રકમ અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમ ચૂકવણી કરવામાં આવશે. કોર્ટના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક કે કાયદાકીય ઉત્તરાધિકારીના ખાતામાં નોમિની બનાવી શકાય છે.
ટ્રાન્સફર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે
બેઝિક સેવિંગ એકાઉન્ટને જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો પણ વિકલ્પ છે. જેમની પાસે જનધન ખાતું છે, તેમને બેંકથી RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતા પર ઇશ્યૂ કરવામાં આવેલા RuPay PMJDY કાર્ડની વીમા રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ 2018 બાદ જાહેર RuPay કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ કવર બેનેફિટ મળશે.
2014માં શરૂ થઈ હતી યોજના
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જન ધન યોજના વર્ષ 2014માં શરૂ થઈ હતી. આ યોજના આર્થિક રીતે નબળા લોકોને સસ્તી રીતે ફાઇનાન્સિયલ સર્વિસ, બેન્કિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ, પેન્શન સુધી પહોંચને સુનિશ્ચિત કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ગ્રાહકોને KYC ડોક્યૂમેન્ટ આપીને ઓનલાઇન જન ધન ખાતું ખોલાવી શકે છે.