કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બિહારના બેગુસરાયમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ અધિકારીઓ પર ગુસ્સે થયા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જો અધિકારીઓ તમારી વાત નથી સાંભળી રહ્યા તો તેમને શેરડીથી મારો. મંત્રીના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મોદી સરકારના મંત્રીના બગડ્યા બોલ
કહ્યું- અધિકારીઓને વાસની લાકડીથી મારો
વીડિયો થયો વાયરલ
આપને જણાવી દઈએ કે, ગિરીરાજે તેમના લોકસભા મત વિસ્તાર બેગુસરાયની જનતાને કહ્યું હતું કે, જો કોઈ (કોઈપણ સરકારી અધિકારી) તમારી ફરિયાદો નથી સાંભળી રહ્યા, તો તેમને વાંસની લાકડી વડે માર મારો. અમે તેમને કોઈ ગેરકાયદેસર કામ કરવાનું કહીશું નહીં, કે કોઈ પણ અધિકારી દ્વારા ગેરકાયદેસર 'નગ્ન નૃત્ય' સહન કરીએ.
RJDએ મોદી સરકારના મંત્રી પર કર્યા પ્રહાર
આ સાથે જ, RJDએ ગિરિરાજના નિવેદન પર નિશાન સાધ્યું હતું. આરજેડીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'એક તરફ નીતિશ કુમાર યુવાનોને કહે છે કે જો તમે સરકાર અથવા અધિકારીનો વિરોધ કરો છો, તો ધરણા પર બેસો કે સોશિયલ મીડિયા પર લખશો, તો તમને જેલમાં મોકલી દેવાશે નહીં, નોકરી કરવા નહીં દઇએ. તો બીજી તરફ સનકી ગિરિરાજસિંહ કહે છે, વાંસ ઉપાડીને અધિકારીઓને મારો! આ સરકાર ચાલી રહી છે કે મહા જંગલ રાજ ચાલી રહ્યું છે? '
#WATCH | If someone (any government official) doesn't listen to your grievances, hit them with a bamboo stick. Neither we ask them to do any illegitimate job, nor will we tolerate illegitimate 'nanga nritya' by any official: Union Minister Giriraj Singh in Begusarai, Bihar pic.twitter.com/Wxc6TlHiYC
આપનેજણાવી દઈએ કે, અગાઉ ગિરીરાજસિંહે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ તત્કાલ ઇન્દિરા સરકાર દ્વારા 1975 માં લાદવામાં આવેલી ઇમરજન્સીને મોટી ભૂલ ગણાવી હતી. જે બાદ ભાજપના નેતા ગિરિરાજસિંહે આ માટે કોંગ્રેસને માફી માંગવાનું કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશના લોકોએ તેમના ગુનાઓ અને કોંગ્રેસના કૌભાંડો બદલ માફી માંગવી જોઈએ.