નીતીશ કુમાર 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી PM પદનો ચહેરો બની શકે તેના જવાબમાં નીતિશ કુમારે કહ્યું ..
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન હાથ જોડ્યા
વડાપ્રધાનના ચહેરાના સવાલ પર નીતિશ કુમારે હાથ જોડી દીધા
નીતિશ કુમારે કહ્યું, છોડો ને ભાઇ.. અમારું કામ બધાનું કામ છે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન અચાનક હાથ જોડી દીધા હતા. વાત જાણે એમ છે કે, આજે સવારે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન વડાપ્રધાનના ચહેરાના સવાલ પર નીતિશ કુમારે હાથ જોડી દીધા હતા. ભૂતકાળમાં જ્યારથી બિહારમાં JD(U) અને RJDના ગઠબંધન સાથે સરકાર બની છે, ત્યારથી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે, નીતીશ કુમાર 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી PM પદનો ચહેરો બની શકે છે. જોકે શુક્રવારે પટનામાં પત્રકારોએ આ અંગે સવાલ કર્યો તો નીતિશે હાથ જોડી દીધા.
શું કહ્યું મુખ્યમંત્રી નીતિશ કુમારે ?
બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે, જુઓ ભાઈ અમે હાથ જોડીને એક વાત કહીએ છીએ, આ બધું મારા મગજમાં નથી. જે કહેતા રહે છે, કહે છે અમારી નજીક પણ, અમે પ્રણામ કરીએ છીએ, છોડો ને ભાઇ.. અમારું કામ બધાનું કામ છે... હું પ્રયત્ન કરીશ કે તમામ વિરોધ પક્ષો સાથે મળીને કામ કરે.
#WATCH | "I say this with folded hands, I have no such thoughts...My work is to work for everyone. I will make an effort to see that all the Opposition parties work together. If they do, it will be good..," says Bihar CM Nitish Kumar when asked that he is being seen as a PM face pic.twitter.com/3yYnOPMT3c
આ સાથે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતામાં તેમની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું- "અમે બધાને એક કરવા માંગીએ છીએ. હું સકારાત્મક કામ કરી રહ્યો છું. મને ઘણા ફોન આવી રહ્યા છે, હું બધું કરી રહ્યો છું. હું કરીશ. બધું કરીશ પણ પહેલા અહીં હું મારું કામ કરીશ."
આ સિવાય સીએમ નીતિશ કુમારે કહ્યું કે, બીજેપીએ 2020માં સુશીલ મોદીને બિહારમાં ડેપ્યુટી સીએમ બનાવ્યા નથી તે મને ખરાબ લાગ્યું. તેમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. મને લાગતું હતું કે, કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવશે પરંતુ તે પણ ન બન્યું. હવે તેઓ મારી વિરુદ્ધ બોલે છે જેથી પાર્ટીમાં ઈનામ મળે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સતત કોઈને કોઈ મુદ્દો ઉઠાવી રહી છે જેના કારણે સમાજમાં તણાવ પેદા થાય અને તેનો રાજકીય લાભ ભાજપને મળવો જોઈએ. જે હું સહન કરી શક્યો નહીં. બિહાર સરકારમાં અગાઉ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ સીએમ નીતિશ કુમારના વડાપ્રધાન બનવાના સવાલ પર કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી પીએમ બની શકે છે તો નીતિશ કુમાર કેમ નહીં.