ભારતીય વાયુસેનાએ એક વાર ફરી સ્પષ્ટ કર્યું છે કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની વિમાન સાથે થયેલી ઝડપમાં ભારતીય મિગ-21 દ્વારા પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પડાયું હતું. ખરેખર તો વાયુસેના દ્વારા આ સ્પષ્ટીકરણ અમેરિકા દ્વારા એક પત્રિકા દ્વારા પ્રકાશિત કરવા પર આપવામાં આવ્યો છે.
આ ફોરેન પોલીસી નામની પત્રિકામાં લખ્યું હતું કે પાકિસ્તાન પાસે રહેલા એફ-16 વિમાનની અમેરિકા દ્વારા ગણતરી કરવામાં આવી છે. જેમાં એ જાણવા મળ્યું છે કે કોઇપણ વિમાન ઓછુ થયુ નથી. પત્રિકા દ્વારા પ્રકાશિત આ સમાચાર ભારતના આ દાવાથી વિપરત છે કે ભારતના વાયુસેનાના લડાખુ વિમાને 27 ફેબ્રુઆરીના રોજ થયેલ હવાઇ લડાઇ દરમિયાન પાકિસ્તાનના એક એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું.
ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું, નૌશેરા સેકટરમાં હવાઇ લડાઇ દરમિયાન ભારતીય વાયુસેનાના મિગ-21 બાઇસન વિમાને એક એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. ભારતીય વાયુસેનાએ આ અંગે પુરાવા હોવાનું પણ કહ્યું છે. પત્રિકાએ આ દાવો ત્યારે કર્યો છે કે જ્યારે ભારતે 28 ફેબ્રુઆરના એફ-16 દ્વારા કરવામાં આવેલા એમામ મિસાઇલના ટુકડા અમેરિકા સામે રાખી ચુક્યાં છે.
ઉલ્લેખનીય છે કે પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફિલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલકોટમાં આતંકી પ્રશિક્ષણ શિબિરો પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશના વિમાન વચ્ચે ઝડપ થઇ હતી જેમાં એફ-16 વિમાનને તોડી પડાયું હતું.