આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકોને તણાવમાં ગરકાવ થઇ જતા વાર લાગતી નથી. માનસિક તણાવ અને ચિંતા યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
આ સુપરફૂડ મેન્ટલ સ્ટ્રેસમાં આપશે રાહત
શિયાળામાં ખાસ ખાઇ લો આ ફૂડ
મેન્ટલ સ્ટ્રેસને હળવાશમાં ન લેશો
કેટલાક સમજદાર લોકો તણાવથી બચવા યોગ, પ્રાણાયમ, મેડિટેશનનો સહારો લે છે, પરંતુ એ માટે પણ સમય નહીં ફાળવી શકતા લોકો દવાનો સહારો લે છે. જે તેની આડઅસરો સાથે લાવે છે. લાંબા ગાળે તેનાથી નુકશાન થઇ સકે છે. અહીં આપવામાં આવેલા કેટલાક ઘરેલુ નુસખાઓથી તમે તણાવ અને ચિંતાથી મુક્ત થઈ શકો છો.
તણાવ દૂર કરવામાં ગાજર લાભદાયી
ગાજરને કાચું ખાવાથી, સલાડ રૂપે સેવન કરવાથી, જ્યૂસ બનાવીને પીવાથી તમે તણાવ દૂર કરી શકો છો. ગાજરમાં વિટામિન એ, સી અને કે તથા પોટેશિયમ હોય છે. જેનાથી તણાવ દૂર કરવામાં રાહત મળે છે.
પાલકથી મળશે રાહત
પાલકમાં એન્ટી-સ્ટ્રેસ અને એન્ટી-ડિપ્રેસિવ ગુણધર્મ રહેલા છે, જે ચિંતા અને તણાવ દૂર કરવામાં સહાયક છે. પાલકનું શાક બનાવીને અથવા તેનો જ્યૂસ બનાવીને સેવન કરવાથી તણાવ અને ચિંતાથી રાહત મળે છે
અવાકાડો બનશે સહાયક
અવાકાડોનું સેવન તમને તણાવથી દૂર રાખે છે. અવાકાડો ઓઈલથી હેડ મસાજ કરવાથી પણ તમને રાહત મળી શકે છે. જેમાં સેરોટોનિન અને ડોપામાઈન પણ હોય છે, જે હૉર્મોનનો સ્ત્રાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને મૂડને સારો બનાવે છે.
બદામ, લવન્ડર તેલથી મેળવો રાહત
બદામ, લવન્ડર તેલમાં એન્ટી-એંગ્ઝાઈટી ગુણધર્મ રહેલા છે. જે તણાવ અને ગભરામણથી રાહત આપે છે. નિયમિતરૂપે તેનાથી હેડ મસાજ કરવાથી તણાવ દુર થઇ શકે છે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મ રહેલા છે. જે ચિંતા અને તણાવ દૂર કરવામાં સહાય કરે છે. તથા રિલેક્સ થવાનો અનુભવ થાય છે.
જાયફળ
ચિંતા અને તણાવ દૂર કરવામાં જાયફળ પણ સહાય કરે છે. જાયફળ તમારા મૂડને હળવું કરે છે. લંચ અથવા ડિનર બનાવવા દરમિયાન જાયફળ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. જાયફળના તેલને રૂમાલ પર લગાવીને તેનો સુંઘવાથી તમને રિલેક્સ રહેવાનો અનુભવ થાય છે.