ખાંસીથી પરેશાન થતા હોય છે પણ આ સ્થિતિ થોડા સમય પૂરતી હોય છે અને ગળામાં શ્વાસ લેવાનો માર્ગ તેનાથી સાફ થઈ જાય છે.
ખાંસીથી પરેશાન છો તો અપનાવો દેશી ઉપચાર
ડૉક્ટર પાસે ન જવું હોય તો કરો આ ઉપાય
હેલ્થ ઇઝ વેલ્થ
બહારના કણો ખતમ થવાથી ખાંસી પણ જતી રહે છે પણ ઘણી વાર ખાંસી સ્થાયી થઈ જતી હોય છે. આ સ્થિતિમાં ઉપચારની જરૂર પડે છે. તેની પાછળ ધૂળ, માટી, પ્રદૂષણ જેવાં ઘણાં કારણો હોય છે. સૂકી ખાંસી સાથે ગળામાં થતી બળતરાથી છુટકારો મેળવવા અહીં કેટલીક ઘરેલુ ટિપ્સ આપી છે.
મીઠાના પાણીના કોગળા
હૂંફાળા પાણીમાં મીઠું નાખીને તેના કોગળા કરવાથી પણ ગળામાં રાહત થાય છે. ગળામાં થતી ખંજવાળ દૂર થવાની સાથે ફેફસાંમાં ભરાયેલો કફ પણ તેનાથી દૂર થાય છે. એક કપ ગરમ પાણીમાં એક ચતુર્થાંશ મીઠું નાખી તેનાથી દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવા જોઈએ. ગળામાં થતા ટોન્સિલમાં પણ તેનાથી ફાયદો થાય છે.
આદુથી ખાંસીની તકલીફ દૂર થાય છે
દિવસમાં બે વાર કાળાં મરી અને આદુંની ચા પીવાથી ખાંસીમાં રાહત મળે છે. મધ સાથે પણ આદુંની ચા પી શકાય છે, જોકે આ ઋતુમાં આદુંની ચા વધારે પીવાથી પેટ પણ ખરાબ થઈ શકે છે એટલે તેને એક કે બે વાર જ પીવી જોઈએ.
ફુદીનો-પિપરમીટનું મેન્થોલ
ફુદીનો અને પિપરમીટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને દૂર કરી શકે છે. ગળામાં બળતરા કે દુખાવામાં રાહત અપાવે છે. દિવસમાં બે-ત્રણ વાર ફુદીનાવાળી ચા પીવાથી ગળામાં થતી ખાંસીની સમસ્યાથી રાહત મળે છે. એરોમાથેરપીના રૂપે તમે ફુદીનાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. બદલાતા વાતાવરણમાં ફુદીનાનો ઉપયોગ લાભકારક હોય છે.
નીલગીરીનું તેલ
નીલગીરીના તેલથી શ્વાસનળીની સફાઈ થાય છે. નારિયેળ તેલમાં નીલગીરીના તેલનાં ટીપાં નાખી છાતી પર તેનાથી માલિશ કરો. આ ઉપરાંત ગરમ પાણીમાં નીલગીરીના તેલનાં ટીપાં નાખી તમે તેની વરાળ પણ લઈ શકો છો. નીલગીરીથી છાતી હલકી થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ સરળતા રહે છે.