સ્માર્ટફોન્સમાં 'ઓટો બ્રાઈટનેસ' ફિચર નક્કી કરે છે કે યુઝર્સની મોબાઈલ સ્ક્રીનની બ્રાઈટનેસ ક્યારે વધે છે અને ક્યારે ઓછી કરવાની હોય છે.
જાણો સ્માર્ટફોનમાં કઈ રીતે કામ કરે છે ઓટો બ્રાઈટનેસ ફિચર
ફોનને કઈ રીતે ખબર પડે છે સ્ક્રીનને બ્રાઈટનેસની જરૂર છે?
જાણો તેના વિશે બધુ જ
સ્માર્ટફોન્સમાં એક ફિચર આવે છે 'ઓટો બ્રાઈટનેસ'નું ફિચર. આ ફિચર નક્કી કરે છે કે યુઝર્સના મોબાઈલ ક્રીનની બ્રાઈટનેસ ક્યારે વધારવાની છે અને ક્યારે તેમાં ઘટાડો કરવાનો છે. સ્માર્ટફોન ઉપરાંત આનો ઉપયોગ લેપટોપ અને મેકબુકમાં પણ વધ્યો છે. એવામાં જાણીએ ઓટો બ્રાઈટનેસ ફિચર કઈ રીતે કામ કરે છે.
તમે મોટાભાગે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે જોયુ હશે કે જ્યારે ઘરથી બહાર અથવા વધારે પ્રકાશ વાળી જગ્યાઓ પર જતા જ સ્ક્રીનની બ્રાઈટનેસ વધી જાય છે. ત્યાં જ રાતના સમયે સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી થઈ જાય છે. આવું બ્રાઈટનેસ ફિચરના કારણે થાય છે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરો છો તો તમારે મેન્યુઅલી બ્રાઈટનેસને ઘટાડવા અથવા વધારવાની જરૂર નહીં પડે.
સમજીયે આ ફિચર કામ કઈ રીતે કરે છે?
હવે સમજીએ કે સ્માર્ટફોન્સને કઈ રીતે જાણકારી મળે છે કે હવે બ્રાઈટનેસ ક્યારે વધારવી છે અને ક્યારે ઘટાડવાની છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનમાં ઘણા પ્રકારના સેન્સર લાગેલા હોય છે. જેવા કે -પ્રોક્સિમિટી સેન્સર, અને બેરોમીટર્સ વગેરે. તેમાંથી જ એક છે એમ્બિએન્ટ લાઈટ સેન્સર. આ સેન્સરની મદદથી આ ફિચર કામ કરે છે.
સ્માર્ટફોનમાં લાગેલા એમ્બિએન્ટ લાઈટ સેન્સર એ જાણકારી મેળવવામાં સક્ષમ હોય છે કે મોબાઈલની આસપાસ ક્યારે પ્રકાશ છે અને ક્યારે નહીં. આ એક કેમેરાની જેમ કામ કરે છે. આ મોબાઈલની આસપાસ રહેલા લાઈટને કેલ્ક્યુલેટ કરે છે અને પછી તેના અનુસાર બ્રાઈટનેસને પોતાની જાતે ઘટાડે છે અને વધારે છે.
પિક્સલ અને સેમસંગના અમુક ફોન્સમાં 'અડાપ્ટિવ બ્રાઈટનેસ' ફિચર પણ આપવામાં આવે છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બ્રાઈટનેસને એડજસ્ટ કરે છે. ત્યાં જ એપલમાં રહેલા ટ્રુન ટોન ફિચર પણ આમ કરવામાં મદદ કરે છે.