ઝારખંડના દેવઘરમાં રોપવે દુર્ઘટનામાં રાહત બચાવ કરનાર દેશના જવાનો સાથે પીએમ મોદીએ વાત કરી હતી.
દેવઘર રોપવે ટ્રેજેડી મામલો
બચાવકાર્યમાં લાગેલા જવાનો સાથે વાત કરી પીએમ મોદીએ
મોદીએ કહ્યું, દેશને તમારા પર ગર્વ
ભારતીય વાયુસેના,આર્મી,એનડીઆરએફ,આઈટીબીપીના જવાનો જોડાયા
આપણા જવાનો દરેક સંકટમાંથી દેશવાસીઓને બચાવે છે
ઝારખંડના દેવઘર રોપવે ટ્રેજેડીના પીડિતોને ઉગારનાર જવાનોનું અદ્દભૂત કામ જોઈને પ્રધાનમંત્રી મોદી ઘણા પ્રભાવિત થયા છે. આવી વિકટ સ્થિતિમાં પણ પીડિતો માટે જાનની બાજી લગાવી દેનાર જવાનોને પીએમ મોદી કેમ ભૂલે. પીએમ મોદીએ બુધવારે દેવઘર (ઝારખંડ)માં બચાવ કામગીરીમાં સામેલ ટીમના સભ્યો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય વાયુસેના, ભારતીય સેના, એનડીઆરએફ, આઈટીબીપી, સ્થાનિક પ્રશાસન અને નાગરિક સમાજના જવાનો સાથે વાતચીત કરી અને ઓપરેશન દરમિયાન તેમના અનુભવોની જાણકારી મેળવી હતી.
Over the course of 3 days, you worked round the clock, completed a difficult operation&saved lives of several citizens. Entire country has appreciated your efforts. Though we're sad that the lives of some people couldn't be saved: PM, to personnel involved in rescue op at Deoghar pic.twitter.com/5WBQ8FUaJ9
આપણા જવાનો દરેક સંકટમાંથી દેશવાસીઓને સુરક્ષિત બહાર કાઢે છે
મોદીએ દેવઘરમાં બચાવ અભિયાનમાં સામેલ જવાનોને કહ્યું કે ત્રણ દિવસ દરમિયાન તમે 24 કલાક કામ કર્યું, એક મુશ્કેલ ઓપરેશન પૂર્ણ કર્યું અને ઘણા નાગરિકોના જીવ બચાવ્યા. તમારા પ્રયત્નોની સમગ્ર દેશે પ્રશંસા કરી છે. જો કે, અમને એ વાતનું દુઃખ છે કે કેટલાક લોકોના જીવ બચાવી શકાયા નથી. તેમણે કહ્યું હતું કે, દેશને ગર્વ છે કે, આપણી સેના, વાયુસેના, એનડીઆરએફ, આઇટીબીપીનાં જવાનો અને પોલીસ દળ સ્વરૂપે આ પ્રકારનું કુશળ દળ છે, જે દરેક સંકટમાંથી દેશવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે.
I congratulate & thank all representatives of NDRF, Air Force, ITBP, Army, Dist Admn because it was a very difficult op which they carried out patiently. So many agencies, with good coordination, carried out the operation in such a short period of time with minimum loss: HM Shah pic.twitter.com/sZ62oSnWSE
"આપણે બધાએ આ અકસ્માત અને બચાવ મિશનમાંથી ઘણા પાઠ શીખ્યા છે. તમારા અનુભવો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થવાના છે. હું તમારા બધા સાથે વાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. હું સતત આ ઓપરેશન સાથે સંકળાયેલો હતો અને દરેક પરિસ્થિતિનો તાગ મેળવતો હતો. માત્ર મને જ નહીં, આખા દેશને આપ સૌનું ખૂબ જ ગૌરવ છે.
લોકો માટે પહેલા ખાવા-પીવાની વ્યવસ્થા કરી -એક જવાને પીએમને કહ્યો અનુભવ
એક જવાને પીએમ મોદીને કહ્યું કે સૌથી પહેલા અમે એક મહિલાને બચાવી હતી. ત્યાર બાદ અંધારુ હોવાનું કારણં તથા ઘણી ઊંચાઈએ ફસાયેલી ટ્રોલીઓ જોતા લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરી. બીજા દિવસની સવારે અમે ફરી કામે લાગ્યાં અને એરફોર્સ તથા સેનાના જવાનો પણ અમારી સાથે જોડાયા હતા.
आपने तीन दिनों तक 24 घंटे लगकर एक मुश्किल रेस्क्यू ऑपरेशन को पूरा किया और अनेक देशवासियों की आपने जान बचाई है। पूरे देश ने आपके साहस को सराहा है, मैं इसे बाबा बैद्यनाथ जी की कृपा मानता हूं। हालांकि हमें दुख है कि कुछ साथियों का जीवन हम नहीं बचा पाएं, अनेक साथी घायल भी हुए हैं: PM pic.twitter.com/mEFWtHAAIF
એરફોર્સના જવાને શું કહ્યું પ્રધાનમંત્રી મોદીને
આ પછી પીએમ મોદીએ એરફોર્સના જવાન સાથે વાત કરી હતી. જવાને કહ્યું કે, વાયરો વચ્ચે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ગરુડ કમાન્ડો પાસેથી પણ માહિતી લીધી હતી. જેમણે તાર પર અભિયાન ચલાવ્યું હતું.જવાને હવામાં ઝૂલતી વખતે ટ્રોલીમાં જવાનું કહ્યું હતું. સૌથી મોટું કામ એ હતું કે બહારથી ખૂલતા દરવાજા ખોલીને ગભરાઈ ગયેલા લોકોની હિંમત વધારવી. પીએમ મોદીએ પન્ના લાલ સાથે પણ વાતચીત કરી, જેમણે 22 લોકોના જીવ બચાવ્યા. આ પછી પીએમ મોદીએ આઈટીબીપીના જવાનો સાથે વાતચીત કરી હતી.