લોકસભાની બેઠક પર ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે અમિત શાહના નામાંકનમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. ત્યારે અમિત શાહના નામાંકનમાં પહોંચેલા ગૃહ મંત્રી રાજનાથ સિંહ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
રાજનાથસિંહે કહ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આપણા પીએમ મોદી વિરૂદ્ધ અપશબ્દોનો પ્રયોગ કરે છે અને કહે છે કે, ચોકીદાર ચોર છે. પરંતુ હું કહેવા માગીશ કે ચોકીદાર ચોર નહીં પણ ચોકીદાર પ્યોર છે અને બીજી વખત પ્રધાનમંત્રી બનવાનું પણ શ્યોર છે.
તો રાજનાથસિંહે એવું પણ કહ્યું કે, ગાંધીનગર લોકસભા બેઠકથી અમારી પાર્ટીના વરિષ્ઠ અને કદાવર નેતા લાલકૃષ્ણા અડવાણી ચૂંટણી લડતા હતા. તેઓએ લાંબા સમય સુધી આ સીટનું પ્રતિનિધિત્વ કર્યું. તેમનો ઉત્તરાધિકાર સંભાળવવા માટે અમિત શાહ જઈ રહ્યા છે. હું નિશ્ચિંત છું કે ગાંધીનગરની જનતા પોતાનો સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપશે.
ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ
અમિત શાહના ગાંધીનગર આગમનને લઇને કાર્યકર્તાઓમાં મોટો ઉત્સાહ જોવા મળી કહ્યો છે. અમિત શાહનું સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે.