કોરોના વાયરસની બીજી લહેરથી લોકો ભયભીત થયેલા છે. ઘણી વેક્સિન આવી છે અને બધા જ લોકો ઇમ્યૂનિટી વધારવાની સલાહ આપી રહ્યાં છે પરંતુ કેવી રીતે ખબર પડશે કે તમારી ઇમ્યૂનિટી ડાઉન છે?
ખરાબ ઇમ્યૂન સિસ્ટમની કેવી રીતે પડશે ખબર?
કેવી રીતે વધારશો ઇમ્યૂનિટી ?
કોરોનાકાળમાં રાખજો આ સાવધાની
સામાન્ય રીતે બાળકોમાં એટલી ઇમ્યૂનિટી હોય છે કે ઘણી વાર સંક્રમણથી દવાઓ વગર જ લડી લેતા હોય છે પરંતુ ઘણીવાર આપણી લાઇફસ્ટાઇલ અને સમસ્યાઓ આપણી ઇમ્યૂનિટીને કમજોર કરી દે છે. તેનું એક મુખ્ય કારણ તે હોય છે કે વ્યક્તિ પહેલાથી જ કોઇ બિમારીથી ઝઝૂમી રહ્યો હોય તો તેનામાં ઇમ્યૂનિટી ઓછી હોય છે.
તે સિવાય નશાની આદત જેમકે ધુમ્રપાન અને દારૂથી પણ ઇમ્યૂનિટી ઓછી થઇ જાય છે. ઘણા લોકોને ઉંઘ ન આવવાનું કારણ કે ખાનપાન વ્યવસ્થિત ન હોય તો ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થઇ જાય છે. ન્યૂટ્રિશિયનિસ્ટ, ડાયટિશીયન અને ફિટનેસ એક્સપર્ટ મનિષા ચોપરાના કહ્યાં અનુસાર જો આ 5 લક્ષણ દેખાય છે તો તમારે ઇમ્યૂનિટી વધારવાની જરૂર છે.
બિમાર ફીલ થવું
જો તમને એવુ લાગે છે કે તમે વધારે બિમાર રહો છો અને સતત કમજોરી રહે છે કે રોજ માથામાં દુખાવો થાય છે તો તમારી ઇમ્યૂનિટી કમજોર છે.
ખરાબ ઇમ્યૂનિટીના કેટલાક લક્ષણ
આંખો નીચે કાળા કુંડાળા થવા
સવારે ઉઠીને ફ્રેશ મહેસુસ ન કરવુ
આખો દિવસ એનર્જી લેવલ ઓછુ લાગવુ
કોઇ વસ્તુમાં ધ્યાન ન આપી શકવુ
ચિડીયુ થઇ જવુ
પેટમાં ગડબ લાગવી
જલ્દી થાક લાગી જવો
મનીષા આગળ કહે છે કે આ સિવાય જો સમય સમય પર સ્ટ્રેસ વધે, કોઇ ઇજા ધીરે ધીરે ભરાવી ખરાબ ઇમ્યૂનિટીના લક્ષણ છે. તેના માટે લીલા શાકભાજી ખાવ, તાજા ફળ ખાઓ, ડ્રાઇફ્રૂટ્સ ખાઓ. વ્યવસ્થિત ઉંઘ લો અને કસરતમાં તમારી દિનચર્યાને સામેલ કરો.
વિટામીન ડીની ઉણપથી પણ ઇમ્યૂન સિસ્ટમ કમજોર છે તેવું જાણી શકાય છે. કોરોનાથી બચવા માટે ઇમ્યૂનિટી સારી હોવી જરૂરી છે. તેનાથી ઝાડા, અલ્સર, ગેસ, જેવી ફરિયાદ થવાથી પણ ચેતી જજો.