દરેક ધર્મમાં સ્વર્ગ અને નર્કમાં જવાનો રસ્તો છે તેવું કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ સારા કામ કરે છે તે સ્વર્ગમાં જાય છે અને ખરાબ કામ કરે છે તે નર્કમાં જાય છે.
લાખો વર્ષો જૂનો નર્કનો કૂવો મળી આવ્યો
વૈજ્ઞાનિકોએ કૂવામાં ઉતરીને કર્યુ ચૅક
સાપના ઝૂંડ અને ઝરણા મળી આવ્યાં
વૈજ્ઞાનિકોને ખાડી દેશ યમનમાં નર્કનો કૂવો મળી આવ્યો છે. આ કૂવામાં બહુ બધા સાપના ઝૂંડ છે અને ઝરણા પણ છે. કેટલાક લોકો આ કૂવાને પાતાળનો રસ્તો અથવા જિન્નોની જેલ પણ કહી રહ્યાં છે. ઘણા દશકો સુધી લોકલ લોકો આ કૂવા પાસે જતાં ડરતાં હતા.
367 ફીટ ઉંડો છે નર્કનો કૂવો
એક રિપોર્ટ અનુસાર યમનમાં મળેલ આ કૂવાનું આધિકારીક નામ બારહૌતનો કૂવો છે. બાહરૌતનો કૂવો 367 ફીટ ઉંડો છે. નર્કના આ કૂવાનો વ્યાસ 98 છે.
નર્કના કૂવાની અંદર મળી આવી આ વસ્તુઓ
તમને જણાવી દઇએ કે, આ કૂવો યમનના અલ-માહરા રાજ્યના રણ પ્રદેશમાં ઓમાનની બોર્ડર પાસે છે. હેરાનીની વાત તે છે કે ઓમાનના રિસર્ચર્સ પહેલા નર્કના કૂવામાં કોઇ નથી ગયું. રિસર્ચર્સને કૂવાના અંદર ઝરણા અને સાંપના ઝૂંડ મળી આવ્યા છે.
ડરામણો છે આ કૂવો
ટીમના એક સદસ્યએ કહ્યું કે, અમે જાણવા માંગતા હતા કે અંદર શું છે. જો કે કૂવો ખૂબ ડરામણો હતો. આ કૂવામાંથી અમને યમનના ઇતિહાસથી જોડાયેલી કેટલીક જાણકારીઓ મળી શકે છે. રિસર્ચર્સને કૂવામાંથી મરેલા જાનવર તેમજ મોતી મળી આવ્યા છે.
લાખો વર્ષ જૂનો હોઇ શકે આ કૂવો
મહત્વનું છે કે, આ કૂવો કેટલો જૂનો છેસ રિસર્ચર્સ તેની જાણકારી નથી મેળવી શક્યાં. તેમનું માનવું છે કે આ કૂવો લાખો વર્ષ જૂનો હોઇ શકે છે. લોકલ લોકોનું માનવું છે કે જે પણ આ કૂવા પાસે જાય છે, કૂવો તેને અંદર ખેંચી લે છે. વૈજ્ઞાનિકોને તેનો કોઇ પુરાવો નથી મળ્યો કે આ કૂવો ખરેખર અંદર કોઇને ખેંચી લે છે કે નહી.