અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ નોંધાયો છે. હાર્દિક પર થયેલા રાજદ્રોહના કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાર્દિકની ડિસ્ચાર્જ અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
મહત્વનુ છે કે પાસ દ્વારા છેલ્લા ઘણા સમયથી અનામત માટે આંદોલન કરવામાં આવે છે. પાસ દ્વારા કરવામાં આવેલા આંદોલન દરમિયાન હાર્દિક પર રાજદ્રોહનો કેસ નોંધાયો છે. આ મામલે હાર્દિકના વકીલે ડિસ્ચાર્જ માટે અરજી કરી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
આપને જણાવી દઇએ કે પાટીદાર નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલ પર પાટીદાર આંદોલન બાદ રાજદ્રોહનો આરોપ નોંધાયેલ છે જેની સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે તાજેતરમાં જ આમરણાંત ઉપવાસનું આયોજન કર્યું હતું જેમાં તેમણે 19માં દિવસે જાણીતી પાટીદાર સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી અને અન્ય પાટીદાર અગ્રણીઓની વાતચીત માની તેણે પારણાં કર્યા હતા. ત્યારે આજે જોવું જ રહ્યું કે રાજદ્રોહ મામલે હાઇકોર્ટ શું નિર્ણય લે છે.