મોરબી બ્રિજ હોનારત મામલે OREVA જૂથે મૃતકોના પરિવારને 3.5 લાખ વળતર ચુકવવાની તૈયારી દર્શાવી છે તેમજ ઇજાગ્રસ્તને 1 લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી છે
મોરબી ઝૂલતા પુલની હોનારતનો મામલો
દુર્ઘટના બાદ વળતરને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
ઓરેવા જૂથે 3.5 લાખ વળતર ચૂકવવાની દર્શાવી તૈયારી
મોરબી પૂલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી બ્રિજ કેસમાં સરકાર સામે પીડિત પરિવારોની નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા પીડીત પરિવારોને યોગ્ય વળતર ન આપતા પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. જે સમગ્ર બાબત પછી ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સંકેત આપ્યા છે.
હાઇકોર્ટે પ્રાથમિક સંકેત આપ્યા
મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનાનો મામલે ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સંકેત આપ્યા છે. ઓરેવા કંપનીએ દર્શાવેલી તૈયારી કરતા ઘણું વધારે વળતર વચગાળાના વળતર તરીકે ચૂકવવું પડશે. સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન પ્રમાણનું વળતર ચૂકવવા અંગે કોર્ટ જરૂરી હુકમ કરશે.
OREVA જૂથે વળતર આપવા તૈયારી દર્શાવી
મોરબી બ્રિજ હોનારતનો મામલે OREVA જૂથે મૃતકોના પરિવારને 3.5 લાખ વળતર ચુકવવાની તૈયારી દર્શાવી છે તેમજ ઇજાગ્રસ્તને 1 લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી છે. જે મામલે કોર્ટે કહ્યું છે કે, શુ તમારી દષ્ટી વળતર પુરતુ અને વ્યાજબી લાગે છે? તેમજ કોર્ટે કહ્યું કે, અમને આ રકમ વ્યાજબી લાગતી નથી. જે સમગ્ર મામલે કોર્ટ મિત્ર કહ્યું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઇએ. તમને જણાવી દઈએ કે, સમગ્ર મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.
'મૃતકના પરિવારજનોને 12.5 લાખ રૂપિયા ચૂકવવા પડે'
ગુજરાત હાઇકોર્ટેના કોર્ટમિત્ર શિખા પંચાલને કહ્યું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઇએ અને જો સરકારે 10 લાખ વળતર ચૂકવ્યું હોય તો વચગાળાના વળતરને 45 ટકા ગણાય. ગુજરાત હાઇકોર્ટ કહ્યું કે, કંપનીની જવાબદારી 55 ટકા નક્કી થાય,આ સુપ્રીમકોર્ટનું અવલોકન છે. કોર્ટ મિત્ર કહ્યું કે, સુપ્રીમકોર્ટના અવલોકન થિયરી અને ગાઇડલાઇન પ્રમાણે દરેક મૃતકના પરિવારજનોને 12.5 લાખ રૂપિયા ચૂકવવા પડે.
અકસ્માતમાં બાકીના 27 વાયર તૂટી ગયા હતા
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખે સમાધાનના મુદ્દાને યોગ્ય રીતે લીધો ન હોવાનું પણ એસઆઈટીના રિપોર્ટમાં સામે આવ્યું છે. સક્ષમ ટેકનિકલ નિષ્ણાત અને પરામર્શ વિના સમારકામ કાર્ય કરાવ્યું હતું. સમારકામ કાર્ય શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની તપાસ કરવામાં આવી ન હતી. 49 માંથી 22 કેબલ પહેલેથી જ તોડી નાખવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે આ કેબલ બ્રિજ તૂટી પડતા પહેલા જ કેટલાક તાર કપાઈ ગયા હતા. જ્યારે અકસ્માતમાં બાકીના 27 વાયર તૂટી ગયા હતા. નવા સસ્પેન્ડર સાથે જૂનું સસ્પેન્ડર જોડવામાં આવ્યું હતું.
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.