શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તેથી ઘણા પ્રકારની શાકભાજી તમે પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. જેમાંથી અમુક શાકભાજી વિશે તમે માહિતગાર હશો અને અમુક વિશે નહીં.
કંટોલાના પાન ઔષધિય ગુણોથી ભરપૂર
શાકભાજીનો ડાયટમાં સમાવેશ કરવાથી વજન અંકુશમાં રહેશે
કંટોલાનુ સેવન કરવાથી મેદસ્વિતાને નિયંત્રિત કરી શકાય છે
વજન ઘટાડવામાં મદદરૂપ
આવી એક શાકભાજીનું નામ કંટોલા છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. જેની ફક્ત શાકભાજી જ નહીં, પરંતુ તેના પાંદડા પણ ઔષધિય ગુણોથી ભરપૂર છે. આજે અમે તમને જણાવીશું કે આ શાકભાજીનો ડાયટમાં સમાવેશ કરવાથી તમે કેવીરીતે તમારા વજનને નિયંત્રિત રાખી શકશો. કંટોલા એક એવી શાકભાજી છે, જેનુ સેવન કરવાથી મેદસ્વિતાને નિયંત્રિત કરી શકાય છે. આ શાકભાજીમાં ઔષધિય ગુણ વધુ જોવા મળે છે. જે વેઈટ ગેન અને અન્ય બિમારીઓમાં લાભદાયી નિવડે છે. ડૉકટર પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે કંટોલાનુ સેવન કરવાની સલાહ આપે છે. કંટોલા શાકભાજી ચોમાસાના દિવસમાં વધુ ઉગે છે. જેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. જો તમે 100 ગ્રામ કંટોલાની શાકભાજીનું સેવન કરો છો તો 17 કેલેરી મળે છે. આ જ કારણ છે કે વજન ઘટાડનારા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે.
પ્રોટીનથી ભરપૂર
આયુર્વેદમાં પણ કંટોલાને સૌથી શક્તિશાળી શાકભાજી માનવામાં આવી છે. કંટોલા ખાવામાં સ્વાદીષ્ટ હોવાની સાથે પ્રોટીનથી ભરપૂર છે. દરરોજ તેનુ સેવન કરવાથી શરીરમાં તાકાત આવે છે. કંટોલામાં રહેલા ફાઇટોકેમિકલ્સ તમને તંદુરસ્ત રાખે છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે, જે તમારા લોહીને શુદ્ધ રાખે છે. જેનાથી સ્કિન સંબંધી બિમારીઓ પણ થતી નથી.