મેથી સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. ઘણાં લોકો શાક કે દાળના વધારમાં જ મેથીનો ઉપયોગ કરે છે પણ મેથી દાણાનું પાણી પણ આપણાં શરીર માટે બહુ જ અક્સીર માનવામાં આવે છે. તે ઘણી બીમારીઓથી બચાવે છે. જો તમે રોજ સવારની શરૂઆત મેથીના પાણીથી કરો ઠો તો પેટ સંબંધી ઘણી સમસ્યાઓમાં તમને ફાયદો મળી શકે છે. તો જાણી લો આ પાણી તૈયાર કરવાની રીત અને ફાયદા.
આ રીતે તૈયાર કરો મેથીનું પાણી
તેને બનાવવું બહુ જ સરળ છે. રોજ રાતે 1 ચમચી મેથીને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણી ગાળીને પી લો.
ફાયદાઓ
મેથીનું પાણી રોજ પીવાથી તે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ગેલેક્ટોમેનન નામનું ફાયબર, લોહીમાં શુગર એબ્સોર્બ થતાં રોકે છે. જેનાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.
જે લોકોને એસિડિટી અથવા ગેસની સમસ્યા બહુ વધારે હેરાન કરતી હોય તેમના માટે પણ મેથીનું પાણી વરદાન સમાન છે. રોજ સવારે મેથીનું પાણી પીવાથી અપચો, એસિડિટી, ગેસ દૂર થાય છે.
નિયમિત મેથીનું પાણી પીવાથી કિડનીની પથરીમાં આરામ મળે છે. મેથીમાં રહેલાં તત્વ પથરીને ઓગાળવામાં મદદ કરે છે.
મેથીમાં એન્ટીબેક્ટેરરિયલ ગુણ હોય છે. જેથી તે શરદી-ખાંસી, વાયરલ સહિત ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. તેમાં રહેલાં તત્વો બોડીના હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરે છે.
મેથીનું પાણી વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. તેને પીવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને તમે ઓવરઈટિંગથી બચીને રહી શકો છો.