આયુર્વેદિક હોય કે યૂનાની દવાઓ બનાવતી વખતે તજનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે. ઘણી બીમારીઓના ઈલાજ માટે દવા તરીકે તેના ઉપાયો કરવામાં આવે છે. આપણા ભારતીય દરેક મસાલામાં ઔષધીય ગુણ રહેલાં છે. જેમાંથી લગભગ બધાંના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. ચપટી તજ કઈ રીતે તમારા શરીરમાં અસર કરે છે અને કેવા ફાયદા આપે તે જાણીને તમને નવાઈ લાગશે. ચાલો જાણી લો તેના ફાયદા.
અનેક રીતે ફાયદાકારક છે ચપટી તજ પાઉડર
રોજ વાપરશો તો શરીર પર દેખાશે આ અસર
તજનો ઉપયોગ ગંભીર રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે
તજ પાઉડરનો સૌથી બેસ્ટ નુસખો છે કે, રોજ સવારે નરણાં કોઠે 1 કપ ગરમ પાણીમાં ચપટી તજ પાઉડર, 1 લીંબુનો રસ, સહેજ મધ જરૂર લાગે તો અને ચપટી હળદર મિક્સ કરીને પી લો. આનાથી બોડીમાં ઈન્સ્યૂલિન કંટ્રોલમાં રહેશે. ડાયાબિટીસ થવાનો ખતરો ઘટશે. મેટાબોલિઝ્મ ફાસ્ટ થશે, જેનાથી વજન કંટ્રોલમાં રહેશે અને ચરબી પણ ઘટશે. આનાથી સ્કિન પણ સારી રહેશે. બોડીના ટોક્સિન્સ પણ દૂર થશે.
ઉપર જણાવેલો ઉપાય રોજ કરવાથી થાઈરોઈડ અને શરીરમાં હોર્મોન્સ ઈમ્બેલેન્સની સમસ્યા પણ દૂર થાય છે. મહિલાઓ માટે પણ આ ઉપાય વરદાન સમાન છે.
અન્ય ફાયદા
તજના 1/4 ચમચી પાઉડરમાં 1 એલચી પાઉડર મિક્સ કરીને લેવાથી પેટની પ્રોબ્લેમ્સ જેમ કે, કબજિયાત, આફરો અને એસિડિટીમાં આરામ મળે છે.
તજના 1/4 ચમચી પાઉડરમાં અડધી ચમચી મધ મિક્સ કરીને રોજ નરણાં કોઠે લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
રોજ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી તજ પાઉડક મિક્સ કરીને પીવાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે અને સાથે હાર્ટ હેલ્ધી રહે છે.
તજની દેશી ચા અથવા આદુ અને તજનો ઉકાળો પીવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી થાક નથી લાગતો અને બોડીમાં એનર્જી પણ જળવાય છે.
જો તમારા ચહેરા પર પિંપલ્સના ડાઘ થઈ ગયા હોય તો સહેજ મધમાં ચપટી તજ પાઉડર મિક્સ કરીને જે-તે ભાગ પર લગાવી દો. આનાથી ડાઘ ગાયબ થઈ જશે.