યુવતીના પતિએ તેની સાથે ફોન પર વાત કરી તો એ સમયે તેને કહ્યું હતું કે, 'આ બધો મારો વિદેશ જવા માટેનો પ્લાન હતો અને હવે હું વિદેશમાં જ રહીશ અને મને તારી જરૂર નથી.'
હરિયાણાના યુવકને તેની મંગેતરે આપ્યો કઇંક અલગ રીતે દગો
જમીન વહેંચીને મંગેતરને ઓસ્ટ્રેલિયા મોકલી પણ પછી યુવતી એ કર્યું કઇંક આવું
યુવકની માતા એ દાખલ કર્યો કેસ
હરિયાણાના સિરસા જિલ્લાના એલનાબાદમાં સ્થિત બુઢીમેડીમાં એક યુવકને તેની મંગેતરે કઇંક અલગ રીતે દગો આપ્યો હતો. વાત એમ છે કે યુવકે લગ્ન પહેલા પોતાની જમીન વહેંચીને તેની મંગેતરને ઓસ્ટ્રેલિયા મોકલી હતી અને બંને એ ઓસ્ટ્રેલીયામાં સેટ થઈને એક સાથે જીવન વિતાવવાના સપના જોયા હતા. લગભગ બે વર્ષ પછી વિદેશથી આવીને યુવતીએ યુવક સાથે લગ્નતો કર્યા પણ તેને દગો આપીને પછી બઇદેશ ભાગી ગઈ હતી. લગ્ન પછી જ્યારે યુવતીના પતિએ તેની સાથે ફોન પર વાત કરી તો એ સમયે તેને કહ્યું હતું કે, 'આ બધો મારો વિદેશ જવા માટેનો પ્લાન હતો અને હવે હું વિદેશમાં જ રહીશ અને મને તારી જરૂર નથી.'
યુવકની માતા એ દાખલ કર્યો કેસ
હવે વાત એમ છે કે છેતરાયેલા યુવકની માતાએ તેની પુત્રવધૂ અને તેના માતા-પિતા સહિત 4 લોકો સામે 26 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ યુવકની માતા સુખજીત કૌરે જણાવ્યું હતું કે યુવતી કર્ણદીપ બે વર્ષ પછી વિદેશથી પરત ફરી અને તેના લગ્ન પુત્ર અજમેર સિંહ સાથે થયા હતા. તેમના લગ્ન રજીસ્ટર થયા છે. વહુ કર્ણદીપે લગ્નના એક અઠવાડિયા પછી ફરી ઓસ્ટ્રેલીયા જવાની જિદ્દ પકડી અને કહ્યું કે તે ઓસ્ટ્રેલિયા જઈને ત્યાંથી ફાઇલ મોકલીને અજમેર સિંહને પણ ત્યાં બોલાવી લેશે.
એમ કહીને વહુ કર્ણદીપ તેના માવતરના ઘરે ચાલી ગઈ હતી અને એ પછી જાણ કર્યા વિના વિદેશ ભાગી ગઇ હતી. કર્ણદીપનો સંપર્ક કરતાં તેને અજમેરને કહ્યું કે 'વિદેશ જવા માટે મેં મારા માતા-પિતા સાથે આ કાવતરું ઘડ્યું હતું અને હવે હું વિદેશમાં રહીશ અને મને તારી જરૂર નથી.' આ પછી હવે કર્ણદીપના માતા-પિતાએ પૈસા પરત આપવાની ના પાડી દીધી છે.'
26 લાખની વહેંચી હતી જમીન
જણાવી દઈએ કે બુઢીમેડીમાં ગામની રહેવાસી સુખજીત કૌરે આગળ જણાવ્યું હતું કે, તેના પુત્ર અજમેર સિંહનો સંબંધ કર્ણદીપ કૌર હતો અને કર્ણદીપ કૌર ઓસ્ટ્રેલિયા જવા માંગતી હતી. એવામાં કર્ણદીપના સંબંધીઓ પ્રેશર બનાવતા હતા કે તેને વિદેશ મોકલવામાં આવશે, જેનો ખર્ચ સાસરિયાઓએ ઉઠાવવો પડશે. બધા આ વાત પર સંમત થયાપછી કર્ણદીપ અને અજમેર ત્યાં લગ્ન પછી એક સાથે રહેશે એ વાત નક્કી થઇ અને અજમેરે મંગેતરને વિદેશ મોકલવા જમીન વહેંચીને 26 લાખ રૂપિયા ખર્ચી કર્ણદીપ કૌરને ઓસ્ટ્રેલિયા મોકલી હતી.