શાંતિ અને વિકાસ માટે કાયદા ઘડવા અને નિયમો બનાવવા જનતા જેની પસંદગી કરે છે. તેવા નેતાઓ ચૂંટણી પ્રચાર વખતે જ વિવેકભાન અને ઔચિત્ય ભૂલી જાય છે અને વિરોધી માટે એવા નિવેદન કર છે જેને સાંભળીને સામન્ય લોકો શરમ અનુભવે છે. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ ચૂંટણીપ્રચારમાં શાલિનતા ચૂક્યા છે.
મનોહરલાલ ખટ્ટરે સોનિયા ગાંધી
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારજંગ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરેક પક્ષના નેતાઓ પ્રચાર યુદ્ધમાં જોડાઈ ગયા છે. એકબીજાને નીચા પાડનારા નિવેદનોના તીર છોડી રહ્યા છે. ચૂંટણીપ્રચાર એવી બાબત છે જેમાં નેતાઓ હરિફ વિરુદ્ધ નિવેદની એક પણ તક ચૂકતા નથી. આવો ચૂંટણીપ્રચારજંગ જામ્યો હોય અને રાજ્યમાં પોતાનું નસીબ બીજીવાર અજમાવવાનું હોય તો પછી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હાથમાં ઝાલ્યા રહે ખરા?
હરિયાણામાં ખરખૌદામાં ચૂંટણી પ્રચારની રેલીને મનોહરલાલ ખટ્ટર સંબોધી રહ્યા હતા. સામે વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતી. એ જનમેદની જોઈને મનોહરલાલ ખટ્ટર વધારે આવેશમાં આવી ગયા. વિકાસની વાતો એક બાજુ રહી. અને કોંગ્રેસના રકાસ પર ભાષણ આપવા લાગ્યા. પરંતુ આવેશમાં તેઓ કોંગ્રેસ અને સોનિયા ગાંધી વિશે એવું નિવેદન આપી બેઠા કે વિવાદનો મધપૂડો છંછેડાઈ જાય.
રાહુલ બાબાએ અધ્યક્ષતા છોડી દીધી અને કહેવા લાગ્યા કે નવા અધ્યક્ષ લાવવા. કોને લાવવા. ગાંધી પરિવારથી બહારનાને લાવવા અમને લાગ્યુ કે વાત તો સારી છે ભાઈ. પરિવારવાદથી દૂર રહેવું એ સારી વાત છે. જેની પ્રશંસા કરવી પડે. કરવી પડે કે નહીં? એ સારી વાત હતી.
#WATCH Nitin Raut, Working President, Maharashtra Congress on Haryana Chief Minister ML Khattar's comment on Congress Interim President Sonia Gandhi: Haryana CM isn't Khattar but a 'khacchar'. pic.twitter.com/ys1AZNx5aY
એ લોકો મંડયા આખા દેશમાં અધ્યક્ષની શોધ કરવા. કદાચ કોંગ્રેસમાંથી કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જાય તો. સારો રાષ્ટ્રીય પ્રમુખ મળી જાય. દોડતા દોડતા ત્રણ મહિના વીતાવ્યા અને ત્રણ મહિના બાદ કોન મળ્યું? કોણ મળ્યું? સોનિયા ગાંધી. ફરીવાર એ જ ગાંધી પરિવાર. ખોદ્યો પહાડ અને નીકળી ઊંદરડી અને એ પણ મરેલી.
ખટ્ટરના નિવેદન બાદ કોંગ્રેસ લાલચોળ
મનોહરલાલ ખટ્ટર કોંગ્રેસ અને ખાસ કરીને સોનિયા ગાંધીની ગરીમાને હનન પહોંચાડીને ભીડમાંથી તાળીઓ મેળવવા ઈચ્છતા હશે. તાળીઓ કેટલી પડી હશે તે તો ખટ્ટર જાણે પરંતુ ખટ્ટરના આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ છે. કોંગ્રેસે તાબડતોબ ટ્વીટ કરીને ખટ્ટરના આ નિવેદનની ટીકા કરી.
ખટ્ટર પાસે માફીની માગ કરતી કોંગ્રેસના ટ્વીટનો કોઈ જવાબ ન મળ્યો તો કોંગ્રેસ વધારે ગુસ્સે ભરાઈ. હવે આ વખતે હુમલો કરવાનો વારો કોંગ્રેસનો હતો. જેની કમાન મહારાષ્ટ્ર અને હરિયાણા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નીતિન રાઉતે સંભાળી લીધી હતી. નીતિન રાઉતે તો ખટ્ટર પર એવા પ્રહાર કર્યા કે ભાજપ સમસમી જાય. નીતિન રાઉતે ખટ્ટર પર પ્રહાર કરતાં કહ્યં કે- `હરિયાણાના સીએમ ખટ્ટર નહીં પરંતુ ખચ્ચર છે. '
ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક પ્રકારની આચારસંહિતા પાળવાની હોય છે. પરંતુ વર્તમાન ચૂંટણીપ્રચાર હલકા મનોરંજનના અભિયાન બની ગયા છે. ભીડ ભાળીને નેતાઓની જીભ નિરકુંશ બની જાય છે. અને આચારસંહિતા ઘડનારા આંખ કાન બંધ કરીને બેસી જાય છે. અને વિકાસની વાતો વીસરાઈ જાય છે.