T20I સીરીઝની શરૂઆત 27 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. ત્યારે રોહિત અને વિરાટને આ સીરીઝથી રજા આપવામાં આવી છે અને હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવાની જાહેરાત BCCI એ કરી છે.
T20I સીરીઝની શરૂઆત 27 જાન્યુઆરીથી
BCCI એ ખેલાડીઓની લિસ્ટ કરી જાહેર
હાર્દિક પંડ્યા બનશેT20Iનાં કેપ્ટન
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 મેચોની ધમાકેદાર T20I સીરીઝની શરૂઆત 27 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. જેની હોસ્ટિંગ મેજબાની ભારત કરી રહ્યું છે. શ્રીલંકાની પહેલી મેચ રાંચીમાં રમાશે. બંને ટીમોની વચ્ચે આ સીરીઝમાં જોરદાર ટક્કરનો માહોલ જોવા મળી શકે છે. તો BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમે T20I માટેની ટીમ ઈન્ડિયાનાં 16 સદસ્યોનાં દળની ઘોષણા કરી છે.
T20I ફોર્મેટથી વિરાટ અને રોહિતનું પત્તું કપાયું ?
આ લિસ્ટમાં સીનિયર ખેલાડીઓને નજરઅંદાજ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓને આ સીરીઝનો ભાગ બનાવવામાં આવ્યું નથી. તેવામાં લોકોનાં મનમાં સવાલો ઊઠી શકે છે કે શું કારણ છે કે T20I ફોર્મેટથી વિરાટ અને રોહિતનું પત્તું કપાઈ ગયું?
બંને સીનિયર ખેલાડીને આ સીરીઝમાંથી આપી રજા
શ્રીલંકાની સામે રમવામાં આવેલી T20I સીરીઝમાં ટીમ ઈન્ડિયાનાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઊમેરવામાં નથી આવ્યાં. રોહિતને તેમના અંગૂઠામાં થયેલાં ઘાનાં કારણે તેમને રિકવરી માટે સમય આપવામાં આવ્યો છે તો વિરાટ કોહલીને પણ આરામનો સમય અપાયો છે.
હાર્દિક પંડ્યા ફરી એકવાર બન્યાં કેપ્ટન
ભારતીય ક્રિકેટ ટીમનાં અનુભવી અને સ્ટાર ઑલરાઉન્ટર હાર્દિક પંડ્યા રોહિત શર્માની ગેરહાજરીમાં T20I ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતાં નજરે પડ્યાં છે. તેમણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની સામે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તો ફરી એકવાર કીવી ટીમની સામે થનારી T20I શ્રૃંખલામાં તે જ કેપ્ટન રહેશે. રિપોર્ટસ અનુસાર હાર્દિક પંડ્યા ભારતનાં T20Iમાં સ્થાયીરૂપે કેપ્ટન બની શકે છે. જો કે આ વાતની ઓફિશિયલ ધોરણે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.