'ભારતને જે પણ જગ્યાએથી વ્યાજબી ભાવે તેલ મળશે ત્યાંથી તે ખરીદશે', પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જનસંબોધન કર્યું .
હરદીપ સિંહ પુરીએ જનસંબોધન કર્યું
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા- પુરી
પેટ્રોલમાં 20% એથનૉલ ભેળવવાનું લક્ષ્ય
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે ભારત ઊર્જા સપ્તાહને સંબોધિત કરતાં કહ્યું કે દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ ભારત છે અને ભારતને જે પણ જગ્યાએથી વ્યાજબી ભાવે તેલ મળશે ત્યાંથી તે ખરીદશે. ઈન્ડિયા એનર્જી વીક ભારતની ઊર્જા સુરક્ષા, આપણાં નાગરીકો માટે સામર્થ્ય અને પહોંચને સુનિશ્ચિત કરે છે અને વૈશ્વિક ઊર્જા પરિવર્તનમાં ભારતની ભૂમિકા માટે પીએમની દીર્ધકાલિક દ્રષ્ટિને દર્શાવે છે.
An engaging discussion on how India is at the centre of the energy transition, combining economic & energy demand growth with rapid decarbonization at the breakthrough session on “Price & supply volatility - addressing global energy” at #IndiaEnergyWeek2023@g20orgpic.twitter.com/X5vrLydufn
પેટ્રોલમાં 20% એથનૉલ ભેળવવાનું લક્ષ્ય
પુરીએ કહ્યું કે દેશ પોતાની કુલ તેલની જરૂરિયાતોનાં 85% અને પ્રાકૃતિક ગેસનાં 50% આયાત થકી પૂરી કરે છે. શેરડી અને અન્ય કૃષિ ઉપજથી પ્રાપ્ત થયેલ એથનૉલને પેટ્રોલમાં ભેળવવામાં આવે છે જેથી આયાત પરની નિર્ભરતાને ઓછી કરી શકાય. પુરીએ કહ્યું કે 2025 સુધી પેટ્રોલમાં 20% એથનૉલ ભેળવવાનું લક્ષ્ય છે. હરિત ઊર્જાનાં ક્ષેત્રમાં ભારતનાં વધી રહેલા પગલાંઓને પ્રદર્શિત કરવાનાં ઉદેશ્યથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
A historic milestone for India’s Ethanol Blending Program! Taking our journey towards green & alternative fuels forward PM Sh @narendramodi Ji launches E20 the 20% ethanol blended fuel at at #IndiaEnergyWeekpic.twitter.com/ZAs289knzz
PM મોદીએ ભારત ઊર્જા સપ્તાહનું કર્યું હતું ઉદ્ગાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલૂરુમાં ભારત ઊર્જા સપ્તાહ IEWનું ઉદ્ગાટન કર્યું અને કહ્યું કે ભારત ઝડપથી ઊર્જા ક્ષેત્રમાં વિસ્તાર કરી રહ્યું છે અને આ સેક્ટરમાં અભૂતપૂર્વ શક્યતાઓ છે. તેમણે કહ્યું કે મહામારી અને યુદ્ધનાં પ્રભાવ હોવા છતાં 2022માં ભારત એક ચમકતો તારો બની રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવોમાં થઈ શકે છે ઘટાડો
હરદીપ સિંહ પુરીએ ભારત ઊર્જા સપ્તાહ સમ્મેલન દરમિયાન કહ્યું કે ભારત તેલ ખરીદવાનાં મામલામાં પોતાના મોટા માર્કેટનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે આપણે માર્કેટ કાર્ડનો ઉપયોગ કરશું. આપણને જ્યાંથી પણ વ્યાજબી ભાવે તેલ ઉપલબ્ધ થશે ત્યાંથી અમે આયાત કરશું.
રશિયા ભારતનો સૌથી મોટો તેલ આપૂર્તિકર્તા
ભારત 2007-07માં 27 દેશોથી તેલ આયાત કરતું હતું. આ સંખ્યા 2021-22માં વધીને 39 થઈ ગઈ છે. નવા આપૂર્તિકર્તાઓમાં કોલંબિયા, રશિયા, લીબિયા, ગેબન અને ઈક્વેટોકિયલ ગિની શામેલ છે. તો રશિયા ભારતનો સૌથી મોટો તેલ આપૂર્તિકર્તા બની ગયો છે.