ભારતીય ઑફ સ્પિનર હરભજન સિંહે સાઉથ આફ્રિકામાં 2003માં વર્લ્ડકપ દરમિયાન મોહમ્મદ યૂસુફ સાથે થયેલી લડાઇને યાદ કરતા કહ્યુ કે, '' હવે તેને વિચારીને પણ હસવુ આવે છે.''
જોકે આ લડાઇ એવી હતી કે બંને ટીમનોના સીનિયર ખિલાડીઓ વચ્ચે બચાવ માટે આવવુ પડ્યુ હતુ. ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ હંમેશા તણાવપૂર્ણ હોય છે. આ ઘટના તે જ મેચ દરમિયાન બની જ્યારે યુસૂફે હરભજનને લઈને કોઈ પર્સનલ કોમેન્ટ કરી અને પછી ધર્મ વિશે કોઇકને વાત કરી હતી. આ પછી બંને પોતાના હાથમાં છરી-કાંટા લાવીને એકબીજા સાથે લડવા લાગ્યા.
હરભજનને આ ઘટના પર હસતા કહ્યુ કે, આવુ 16 વર્ષ પહેલા સેન્ચુરિયરનમાં થયુ હતુ, પરંતુ સાથે જ સ્વીકાર કર્યો કે લડાઇ એટલી વધી ગઇ હતી કે બચાવ કરવા માટે વસીમ અક્રમ, રાહુલ દ્રવિડ અને જવાગલ શ્રીનાથ વચ્ચે આવ્યા. મેચ હંમેશા સચિન તેંડુલકરની 93 રનની ઇનિંગ માટે યાદ કરશે પરંતુ મેચમાં વિપક્ષી ટીમના 2 ખિલાડીઓને મેદાન પર લડાઇ કરવા માંડ્યા. પાકિસ્તાને 270થી વધારેનો સ્કોર બનાવ્યો હતો અને તે સમયે સારો સ્કોર ગણવામાં આવતો હતો.
હરભજને ઇન્ટરવ્યૂ આપતા કહ્યુ કે, આ બધુ એક જોકથી શરૂ થયુ અને પછી મોટો વિવાદ થયો. મને તે મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં પણ શામેલ કરવામાં આવ્યો ન હતો અને અનિલ ભાઇ તે મેચ રમી રહ્યા હતા, હું થોડો નિરાશ હતો અને તમે પ્લેઇંગ ઇલેવનમાં ન હોય ત્યારે આવુ થઇ શકે છે.
આગળ કહ્યુ કે, લંચના સમયે જ્યારે હું ટેબલ પર બેઠો હોતો ત્યારે યૂસુફ-શોએબ બીજા ટેબલ પર બેઠઆ હતા. અમે બંને પંજાબી બોલીએ છીએ અને એકબીજાની મજાક કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમણે પર્સનલ ટિપ્પણ કરી અને પછી મારા ધર્મ માટે કહ્યુ. હરભજને કહ્યુ કે, મેં તરત જ જવાબ આપ્યો. આ પહેલા કોઈ કંઈ સમજી શકે, અમારા બંનેના હાથમાં છરી-કાંટા ચમચી હતી અને અમે બંને ખુરશી પરથી એકબીજા સાથે બાખડી પડ્યા, પરંતુ ત્યારે આ ઘટના હાસ્યાસ્પદ નહોતી લાગી રહી.
ભજ્જીએ આગળ કહ્યુ કે, રાહુલ દ્રવિડ અને જવાગલ શ્રીનાથે મને રોક્યો જ્યારે વસીમ ભાઈ યૂસુફને રોક્યો. બંને ટીમોના સીનિયર ખિલાડીઓ નારાજ થયા અને અમને આવો વ્યવહાર ના થાય તે માટે કહેવામાં આવ્યુ. આજે પણ જ્યારે હું યૂસુફને મળુ છે ત્યારે આ વાતને લઇને ચોક્કસથી યાદ કરીને હસી પડીએ છીએ.