અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા દ્વારા તબીબને લાફો મારતાં ડોક્ટરોએ હડતાળનું એલાન કર્યું હતું. જ્યારે સમાધાન બાદ ડોક્ટરોની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ તબીબને તમાચો ઝીંકી દેતા સમગ્ર મામલો વણસ્યો અને તબીબો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જ્યારે મોડી રાત સુધી ડોક્ટરો સારવાર અને ઓપરેશનથી દૂર રહ્યા હતા.
ડોક્ટરોની હડતાળના પગલે અનેક દર્દીઓ સારવાર વગર જ રઝળી પડ્યા હતા. આ દરમિયાન સુપ્રિટેન્ડન્ટ એમ.એણ.પ્રભારક અને પોલીસ વચ્ચે પણ બેઠક યોજાઈ અને બેઠકમાં સમાધાન થતા હડતાળનો અંત આવ્યો. બીજી તરફ પોલીસે તમાચો મારનાર દર્દીના સગાની પણ ધરપકડ કરી છે. આજે ફરી સુપ્રિટેન્ડન્ટ પ્રભાકર સાથે ડોક્ટરોની બેઠક મળશે.