ફેબ્રિક્સ પર જાન્યુઆરી 2022થી જીએસટી દર 5 ટકાથી 12 ટકા થઇ જશે, ગુજરાતના કાપડ ઉદ્યોગ પર મોટી અસર પડશે
કાપડમાં GST 5% થી વધારી 12% કરાશે
ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ
અમદાવાદમાં GSTના વધારાના દરનો વિરોધ
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઈસીએ આ અંગે 18 નવેમ્બરે નોટિફિકેશન જાહેર કર્યું છે. ફેબ્રિક્સ પર જાન્યુઆરી 2022થી જીએસટી દર 5 ટકાથી 12 ટકા થઇ જશે. આ રીતે કોઈ પણ ભાવના બનેલા કપડા પર જીએસટી દર પણ 12 ટકા થઇ જશે. ત્યારે અમદાવાદના વિવિધ કાપડ એસોસિએશનોએ બેઠક કરી GTS વધારાનો વિરોધ કર્યો છે. જણાવી દઇએ કે, પહેલા 1000 રૂપિયાના ભાવના કપડા પર 5 ટકા જીએસટી લાગતો હતો જે હવે 12% લાગશે.
મહત્વના ઉદ્યોગકારોએ સરકારમાં કરી રજૂઆત
સરકારે ફેબ્રિક્સ પર જાન્યુઆરી 2022થી પર ટેક્સ વધારાનો નિર્ણય કર્યો છે. કાપડના મોટા ઉદ્યોગકારોનું કહેવું છે કે ગુજરાતમાં દૈનિક 10 કરોડ મીટર કાપડનું પ્રોસેસ થાય છે અને તેમાંથી દેશમાં 85 ટકા કપડા રૂપિયા 1 હજારથી ઓછી કિંમતે વેચાય છે જેથી સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો પર વિપરીત અસર થશે. ટેક્ષ્ટાઈલ ઉદ્યોગો હાલ રૂપિયા 20 હજાર કરોડથી વધુ ટેક્સ ચૂકવે છે અને કૃષિ બાદ સૌથી વધુ રોજગારી પુરીપાડે છે જેથી બેઠક યોજી એક સાથે મોટા ઉદ્યાગકારોએ સરકારને રજૂઆત કરી નિર્ણય પર વિચાર કરવા સૂચન કર્યું છે.
કપડાની કિંમત 10 ટકા વધવાની શક્યતા: ઉદ્યોગકારો
આ ટેક્સ વધારાની અસર આડકતરી રીતે લોકો પર જ નાખવામાં આવશે. ઉદ્યોગકારોનું કહેવું છે કે નોટબંધી, GST, કોવિડના કારણે વેપારને ઘણી અસર થઈ હતી હવે આ ટેક્સ વધારાની પણ અસર દેખાશે જેથી બેરોજગારી વધવાની શક્યતા પણ છે. સાથે જ કપડાની કિંમતમાં પણ 10 ટકાનોવ વધારો આવશે તેવી રજૂઆત વિરોધ રૂપે સરકારને કરી છે.
કઈ ચીજ વસ્તુઓએ પર વધાર્યો GST
આ રીતે બીજા ટેક્સટાઇલ(ગુંથેલા કપડા, સેન્થેટિક યાર્ન, પાઇલ ફ્રેબ્રિક્સ, બ્લેંકેટ્સ, ટેન્ટ, ટેબલ ક્લોથ જેવા બીજા ટેક્સટાઇલ) પર પણ જીએસટી દર 5 ટકાથી વધીને 12 ટકા કરી દેવાયો છે. આની સાથે જ કોઈ પણ ભાવના ફુટવેર પર પણ 12 ટકા જીએસટી લાગૂ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા 1000 રૂપિયાથી વધુ ભાવના ફુટવેર પર 5 ટકાના દરથી જીએસટી લાગતું હતું.
નિર્ણય પર CMAIએ નારાજગી વ્યક્ત કરી
ક્લોથિંગ મેન્યૂફેક્ચરર એસોસિએશન ઑફ ઇન્ડિયા એટલે CMAIએ આ નિર્ણય પર 19 નવેમ્બરે ટિપ્પણી કરતા કહ્યું કે, અપેરલ્સ પર જીએસટી દર વધારવાનો સરકારનો નિર્ણય ખુબજ નિરાશાજનક છે. મિંટમાં જાહેર થયેલા સમાચાર અનુસાર, સીએમએઆઈના પ્રેસિડેન્ટ રાજેશ મસંદે કહ્યું છે કે, સીએમએઆઈ અને બીજા એસોસિએશન અને વેપારી સંગઠન ગવર્નમેન્ટ અને જીએસટી કાઉન્સિલથી આ વાતની અપીલ કરે છે કે જીએસટી દરોમાં આ ફેરફારને લાગૂ કરવામાં આવે. આ ટેક્સટાઇલ અને અપેરલ વેપાર માટે ઘણો નિરાશાજનક છે.
આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડસ્ટ્રી પહેલાથી જ કાચા માલમાં વધારાનો દબાવ સહી રહી છે. આ સાથે જ પેકેજિંગ મટિરીયલ અને માલ ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં જીએસટી દરોમાં વધારો વધુ એક મોટો ઝટકો છે.