એક તરફ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે તો આ તરફ ઉનાળાની પણ શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી હતી.
રાજ્યમાં ઉનાળાને લઇને હવામાન ખાતાની આગાહી
ઉનાળાની કાળઝાળ ગરમીની આવતીકાલથી થશે શરૂઆત
બે દિવસ હિટવેવથી ગરમીથી શેકાવું પડશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળાને લઇને હવામાન ખાતાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની આવતીકાલથી શરૂઆત થવાની છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ હિટવેવથી ગરમીથી શેકાવું પડશે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફુંકાવાથી આગામી બે દિવસ હિટવેવની આશંકા હવામાન વિભાગે સેવી છે.
વાતાવરણમાં થઇ રહેલા ફેરફારને કારણે ખેડૂતોને પહોંચી રહ્યું છે નુકસાન
ખેત ઉત્પાદનમાં નુકસાન થઈ રહ્યુ છે. સિઝનનો માર મોલ ઉપર પડી રહ્યો છે. કુદરતના વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાન પહોંચી રહ્યુ છે આ વખતે કચ્છની કેસર આમે મોડી આવે છે ત્યારે આ વખતની સિઝનને જોતા તે હજુ બે મહિના મોડી પડશે.
માવઠાએ ખેતરના પાકને કર્યું નુકસાન
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં મોડી રાતે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદ પડવાને કારણે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું હતું. આ સાથે જ પવનને કારણે કેરીના ઝાડ પર આવેલા મોર પણ મોટી સંખ્યામાં ખરી પડતા કેરીના પાકને પણ નુકસાન થયું હતું.
ગરમીથી બચવા માટે શું કરવું જોઇએ ?
ગરમીમાં તમામ લોકોએ કેટલીક ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તેમ છતાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઇએ. આ સાથે જ જરૂર મુજબ ORS , લીંબુનું પાણી, લસ્સી, છાશ, વરિયાળીનું શરબત વગેરેનું સેવન કરતા રહેવું જોઇએ. આછા રંગના, સુતરાઉ કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઇએ. બપોરના સમયે શક્ય હોય ત્યાં સુધી કામ વગર બહાર નીકળવું ન જોઇએ. તેમછતાં જો બહાર નીકળવાનું થાય તો ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ખાસ ઉપયોગ કરવો જોઇએ,