બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Malay
Last Updated: 09:51 AM, 16 January 2023
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા ડો. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વાકાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કરેલી ભલામણ તેમજ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત આ મુદ્દે નિર્ણય કરે તે પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે.
ડૉ. ભરત જોશીને સોંપવામાં આવ્યો હવાલો
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામા બાદ જ્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.
નિયુક્તિ UGCએ ઠેરવી હતી અયોગ્ય
આપને જણાવી દઈએ કે, ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા ઘણા સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને ચાલતો વિવાદ હતો. આ અગાઉ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંકને ગેરલાયક ઠેરાવવામાં આવી હતી. રાજેન્દ્ર ખીમાણીને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા હટાવવામાં આવ્યા હતાં. ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણીની આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ગુજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે આપ્યો હતો આ આદેશ
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, 'ગુજરાત વિદ્યાપીઠ 8 સપ્તાહમાં UGCના નિર્દેશનું પાલન કરે. એટલે કે આગામી 17મી ફેબ્રુઆરી સુધીમાં રાજેન્દ્ર ખીમાણી કુલનાયકના પદ પરથી હટાવી દેવામાં આવે.' જોકે, 17 ફેબ્રુઆરી પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું ધરી દીધું છે. કુલપતિ દ્વારા આ રાજીનામું ત્વરિત સ્વીકારી લેવાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army