2002માં ગુજરાત રમખાણ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવાના મામલે સુપ્રીમમાં કોર્ટમાં સુનાવણી ટળી છે. ગુલબર્ગ સોસાયટી રમખાણ અને હિંસા મામલે જાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે.
પીએમ મોદીને ક્લીનચીટ મામલે સુપ્રીમમાં અરજી
જાકિયા જાફરીની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ટળી
સુપ્રીમ કોર્ટેમાં હવે આ અરીજ પર 14 એપ્રિલના રોજ સુનાવણી કરવામાં આવશે. રમખાણ દરમિયાન થયેલી હિંસામાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્નીએ આ મામલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ મળવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
આ અગાઉ ગત ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ગુલબર્ગ સોસાયટી પર થયેલ હુમલા સહિત ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોમાં કથિત નિષ્ક્રિયતા માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિશેષ તપાસ પંચ (SIT) ને ક્લીનચીટ આપવાના વિરુદ્ધમાં જાકિયા અહેસાન જાફરીની અરજી પર સુનાવણી જાન્યુઆરી સુધી સ્થગિત કરાઇ હતી.
કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરી અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોદી અને એસઆઇટી ના અન્ય સભ્યને ક્લીનચીટને બરકારર રાખવાના નિર્ણયને પડકારવામાં આવી હતી. SIT એ 19 નવેમ્બરના રોજ જાકિયા જાફરીની અરજી પર પ્રારંભિક આપત્તિ જતાવતાં તેનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ તથ્યનો મુદ્દો છે અને કેટલા સમય સુધી જારી રહેશે.