જેમ એક પૌરાણિક કથા અનુસાર વૃતાસૂરનો આતંક ખતમ કરવા ઋષિ દધીચિ ઋષિએ પોતાનું જીવન હોમીને અસ્થિઓનું શસ્ત્ર વ્રજ બનાવીને ઈન્દ્રને આપ્યુ હતુ તેમ અમદાવાદના એક યુવાને કોરનાને નાથવા માટેની દવા બનાવવા માટે પોતાના શરીર ઉપર દવા પરીક્ષણ કરવાની માંગ કરી રહ્યો છે. યુવકનો આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. પોતે પોલીસમાં હેડકોન્સ્ટેબલ છે અને માનવહીતમાં આ રીતે પોતાનું યોગદાન આપવા માંગે છે. ત્યારે VTVGujarati.com તેમને દિલથી સલામ કરે છે.
સાબરમતી પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ
કોરોનાની દવા માટે સ્વૈચ્છિક પરીક્ષણની ઇચ્છા કરી વ્યક્ત
કોરોનાની દવા માટે પોતાના પર તબીબી પરીક્ષણની કરી રજૂઆત
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો છે. કોરોનાની દવા માટે સ્વૈચ્છિક પરીક્ષણ કરવાની પોલીસ કોન્સ્ટેબલએ ઇચ્છા વ્યક્ત કરી છે. કોરોનાની દવા માટે પોતાના પર તબીબી પરીક્ષણની રજૂઆત કરી છે.
પશુઓ બાદ માણસ પર કરવું પડે છે દવાનું પરીક્ષણ
સામાન્ય રીતે જાનવરો પર દવાનું પરીક્ષણ થઈ જાય પછી હ્યુમન બોડીની જરૂર પડતી હોય છે. દવાના ટ્રાયલ અને પરીક્ષણ બાદ જ દવાને માન્યતા મળે છે. આ યુવાને આ અંગેના પરીક્ષણ પોતાના શરીર ઉપર કરવા અંગે તૈયારી બતાવી છે.
શું કહી રહ્યો છે યુવાન
સાબરમતી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલની ફરજ નીભાવનાર સંજય ગઢવીએ પોતાનું શરીર કોરના વાયરસની દવાપરિક્ષણ માટે સોંપવાની વાત કરી છે. તેમે વિશ્વને મહામારીથી બચાવવા માટે શોધાઈ રહેલી દવાનું પરીક્ષણ પોતાના શરીર ઉપર થાય તે અંગે શરીરને લોકોની સુખાકારી માટે એક પ્રકારે દાન આપવાની જ વાત કહી છે. તેણે વધુમાં કહ્યુ છે કે, પરિક્ષણ દરમિયાન મને કોઈ નુકસાન થશે તો મને કોઈ વળતરની અપેક્ષા નથી. મારા પરિવાર તરફથી પણ કોઈ પણ પ્રકારનો હક્ક કે દાવો કરવામાં નહીં આવે. હું સંજય ગઢવી વિશ્વ કલ્યાણના હેતુથી મારા શરીર ઉપર દવાપરીક્ષણ કરાવવા માટે રાજી છું.