કોરોનાકાળ વચ્ચે ગુજરાત પોલીસ વિભાગમાં બદલીનો દોર શરૂ થયો છે. 12 PIની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 8 PIની આંતરિક બદલી કરી છે.
12 PIની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં
અમદાવાદ શહેર પોલીસમાં 8 PIની આંતરિક બદલી
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા કરાઇ બદલીઓ
ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં આ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા અમદાવાદના પીઆઈની હદલી અંગે આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યમાં પણ 12 PIની અન્ય જિલ્લાઓમાં બદલીના આદેશ અપાયા છે.
અમદાવાદ શહેર પોલીસમાં 8 પીઆઇની આંતરિક બદલી
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બદલીઓ કરવામાં આવી છે. સરખેજ પીઆઇની મણીનગર પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. મણીનગર પીઆઈ એસ.એમ પટેલને ક્રાઇમબ્રાંચમાં મુકાયા છે. એસ.જી દેસાઇ ટ્રાફિક પીઆઇને સરખેજ પીઆઇ તરીકે બદલી થઇ છે. જે.કે ભરવાડને વેજલપુર સેકેન્ડ પીઆઇ બનાવાયા છે. કે.ડી જાડેજાની શાહિબાગ પીઆઇ તરીકે બદલી થઇ છે. શાહિબાગ પીઆઇની કંટ્રોલરૂમમાં બદલી થઇ છે. વી.ડી મોરી કંટ્રોલરૂમ પીઆઇને એસઓજીમાં મુકવામાં આવ્યાં છે. એ.એલ મહેતા વિશેષ શાખા પીઆઇને સાબરમતી સેકેન્ડ પીઆઇ બનાવાયા છે.