પુલવામાં આતંકી હુમલાએ જાણે દેશને હલબલાવી નાખ્યો છે સમગ્ર દેશમાં આક્રોષ છે બદલાની માગ ઉઠી રહી છે પાકિસ્તાન મુર્દાબાદના નારા ગુંજી રહ્યા છે. તો વીર જવાનોની આત્માની શાંતિ માટે પ્રાર્થનાઓ પણ થઈ રહી છે. શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે શહીદોના પરિવારજનોની મદદ માટે જાણે લાખો લોકો સામે આવી રહ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક લોકોએ આ પરિવારો માટે મદદ મોકલી છે.
કોણે કે રેવી રીતે મદદ કરી?
પુલવામાં આતંકી હુમલામાં એક સાથે 44 જવાનોની શહીદીનો ઘા દેશવાસીઓ માટે યુદ્ધથી કાંઈ કમ નથી. લોકોમાં ક્રોધ છે પાકિસ્તાન વિરુદ્ધ નફરત છે. પરંતુ સાથે-સાથે 44 જવાનોના પરિવારના આંશુને જોતાં દુઃખી પણ છે. આજે આખો દેશ એક થઈને આતંક વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે. સાથે-સાથે શહીદ જવાનોના પરિવારની મદદ માટે આગળ આવી રહ્યો છે. ગુજરાતમાંથી પણ શહીદ જવાનોના પરિવારની મદદ માટે કરોડો રૂપિયાનું દાન થયું છે. જેમાં નેતાઓથી લઇને સામાન્ય નાગરીક અને ઉદ્યોગકારો પણ આગળ આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના ધારાસભ્યો એક કરોડની મદદ કરશે. જ્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર એટલે કે એક-એક લાખ રૂપિયાની સહાય કરશે.
સંસ્કારપીઠ દ્વારા 16 લાખની સહાય
આ તરફ ગાંધીનગરમાં આવેલ તપોવન સંસ્કારપીઠ દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ સાથે જ શહીદ જવાનો માટે સંસ્કારપીઠ દ્વારા 16 લાખ રૂપિયાની સહાય પણ કરવામાં આવી છે.
ડભોડા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા 11.11 લાખની સહાય
તો બીજી તરફ ડભોડા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શહીર જવાનોના પરિવારની મદદ માટે 11.11 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
સી.કે.પટેલ દ્વારા શહીદોના પરિવાજનોને 25 લાખની સહાય
આ તરફ અમદાવાદમાં પણ ઉમિયા સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાહીબાગના ગ્રેવર સર્કલથી લઇને શહીદ સ્મારક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ શ્રદ્ધાંજલિ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સી.કે.પટેલે સંસ્થા દ્વારા શહીદોના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાયની જાહેરાત કરી હતી. તેમજ સમાજના આગેવાનો દ્વારા પણ સહાય માટે પહેલ કરવામાં આવી હતી.
સ્વાભાવીક છે કે દેશવાસીઓમાં નાપાક પાકિસ્તાન અને તેના પાલતુઓ વિરુદ્ધ આક્રોષ છે. પરંતુ સાથે-સાથે ભાવનાઓ અને લાગણીઓનો પણ અહીં અતુટ ભંડાર છે. જવાનોના પરિવાની મદદ માટે જે રીતે ગુજરાત સહિતના દેશવાસીઓ સામે આવી રહ્યા છે. તે જ તેનું ઉદાહરણ છે. જે પાકિસ્તાનને કાયર પાકિસ્તાનને કહે ચીખી-ચીખીને કહે છે કે તારા કાયર પ્રયાસોથી ભારત ક્યારે તુટ્યું નથી અને તુટશે પણ નહીં.
કોના દ્વારા કેટલી મદદ?
ભાજપના ધારાસભ્યો 1 કરોડની કરશે મદદ
કોંગ્રેસના ધારાસભ્યો એક મહિનાનો પગાર આપશે
સંસ્કારપીઠ દ્વારા 16 લાખની સહાય
ડભોડા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા 11.11 લાખની સહાય
સી.કે.પટેલ દ્વારા શહીદોના પરિવાજનોને 25 લાખની સહાય