સાબરમતીમાં પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. અને અમદાવાદ શહેરમાંથી ઉદ્યોગોને બહાર ખસેડવા માટે સૂચના. હાઇકોર્ટનો આ ચુકાદો અમદાવાદ ઉદ્યોગજગત માટે ઐતિહાસિક.
HCનો ઉદ્યોગજગત માટે ઐતિહાસિક આદેશ
સાબરમતીમાં પ્રદૂષણને લઈને HC કડક
અમદાવાદ શહેરમાંથી ઉદ્યોગો બહાર ખસેડવા આદેશ
સાબરમતીમાં પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. અને અમદાવાદ શહેરમાંથી ઉદ્યોગોને બહાર ખસેડવા માટે સૂચના પણ આપી દીધી છે..તથા આ અંગે ગુજરાત હાઇકોર્ટે GIDCને ઉદ્યોગો માટે કોમન એફ્લુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETP બનાવવા માટે પણ આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો અમદાવાદ અને ગુજરાતના ઉદ્યોગજગત માટે ઐતિહાસિક બની રહેશે.
અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે. કંપનીઓ દ્વારા નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુએજ ફાર્મ વિસ્તારમાં કેટલીક કંપનીઓ નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહી છે. અને પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો AMCના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર પણ કર્યો છે. સરકાર સાબરમતી નદીની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ગંગા નદી બાદ સાબરમતી નદીની જાળવણી માટે સૌથી વધુ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્ર સરકારે 2014માં સાબરમતી નદીની જાળવણી માટે 400 કરોડની ફાળવણી કરી છે. છતા પણ સ્થિતિ નથી સુધરી. તો મોટો સવાલ એ થાય છે કે સાબરમતીના જાળવણી ખર્ચના રૂપિયાનો દૂરપયોગ થયો છે અને કાં તો 400 કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ મોકલાવી ખરી પણ તંત્ર તે કામને જમીન પર ઉતારવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે.
હાઇકોર્ટે AMC અને GPCBને લગાવી ફટકાર
ગુજરાત હાઇકોર્ટે AMC અને GPCB સામે લાલઆંખ કરી અને સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમો મામલે તંત્રનો ઉધડો પણ લીધો. હાઇકોર્ટે કહ્યું કે AMC અને GPCB પ્રદૂષિત એકમો સામે ગંભીરતા કેમ નથી લેતું?. હાઇકોર્ટે ખુલાસો કરવા AMC અને GPCBને નોટિસ આપી છે. અને કહ્યું છે કે સુએજ ટ્રીટ કર્યા વગર પાણી નદીમાં છોડાય તે ચિંતાજનક બાબત છે તેના પર કોઈ રોક કેમ નથી લગાવતું તંત્ર, મહત્વનું છે કે પીરાણા STPમાંથી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતા કરવામાં આવેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે આગળની સુનાવણી 31 ઓગસ્ટના રોજ થશે.
સતત ઉઠતા હતા સવાલો
ત્યારે આ સતત કંપનીઓ દ્વારા નદી પ્રદૂષિત કરતા સવાલો ઉઠી રહ્યા છે કે સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા પર કાર્યવાહી ક્યારે કરાશે?. GPCB કંપનીઓ સામે કેમ કોઇ કાર્યવાહી નથી કરતું?. GPCBના ભ્રષ્ટ અધિકારીઓને કેટલા પૈસા મળે છે?. કંપનીઓ પૈસા આપી GPCBની આંખો પર પાટા બાંધી દે છે?. GPCB ખાલી નામનું જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે?. બધાને ખબર છે સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે પણ GPCBના અધિકારીઓને નથી દેખાતું?. બધાને ખબર છે ક્યાંથી પ્રદૂષિત પાણી છોડાય છે અને GPCBને નથી ખબર?. GPCBના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા કરે છે શું?. GPCBના અધિકારીઓને ખબર તો છે ને કે તેમનું કામ શું છે?.