ભારતમાં કોરોના વાયરસના કેસ 65 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,327 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 16,597 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં 1,335 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 1,45,362 પર પહોંચ્યો
આજે 1,473 દર્દીઓ સાજા થયા અને 10 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,879 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,335 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,45,362 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 86.16 ટકા છે. આજે 1,473 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,25,243 પર પહોંચ્યો છે. આજે 10 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,522 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,597 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 47,54,655 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહાનગરો બાદ દાહોદ જિલ્લામાં સૌથી વધુ 96 દર્દીઓ સાજા થયા છે.
5 જિલ્લામાં કુલ 10 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 10 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, વડોદરામાં 1 અને રાજકોટ 1 અને ગાંધીનગરમાં 1 દર્દીના મોત થયા છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 278, અમદાવાદમાં 187, રાજકોટમાં 147, વડોદરામાં 126 અને જામનગરમાં 94 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની જિલ્લાવાર વિગત