ભારતમાં કોરોના વાયરસના કેસ 46 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1365 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને મહેસાણામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
આજે ગુજરાતમાં 1365 નવા કેસ નોંધાયા
જામનગરમાં કોરોનાએ માથું ઉચક્યું
રાજ્યમાં રિકવરી રેટ 82.61 ટકા પર પહોંચ્યો
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1365 નવા કેસ સાથે કુલ આંક 1,12,336 પર પહોંચ્યો છે. તો આજે 1,335 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 92,805 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.61% પર પહોંચ્યો છે. આજે સંક્રમણથી 15 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3198 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 74,781 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,19,983 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16333 છે.
મહાનગરો બાદ આ 2 જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 278, અમદાવાદમાં 175 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 146 કેસ બાદ જામનગરમાં 125 કેસ અને મહેસાણમાં 50 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ અરવલ્લીમાં 2 કેસ, છોટા ઉદેપુરમાં 4 કેસ નોંધાયા છે. મહાનગરો બાદ જામનગર અને મહેસાણામાં કોરોનાનું સંક્રમણ વધતા ચિંતા વધી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.