ગુજરાતના ગવર્નર ઓમ પ્રકાશ કોહલીને મંગળવારે મધ્ય પ્રદેશના ગવર્નરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ રજા પર છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલ આ સંદેશમાં લખવામાં આવેલ હતું કે "રાષ્ટ્રપતિએ ગુજરાત રાજ્યના ગવર્નર ઓમપ્રકાશ કોહલીને મધ્ય પ્રદેશના ગવર્નરનો વધારાનો હવાલો આપ્યો છે. કોહલી ગવર્નર આનંદીબેન પટેલની ગેરહાજરીમાં તેમની જવાબદારી સાથે વધુ કામ કરશે.''
ઉલ્લેખનીય છે કે આનંદી બહેન પટેલ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે અને પક્ષમાં તે વજનદાર શખ્સિયત પણ ધરાવે છે.કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી મોદીની નજીકના બીજા દિગ્ગજ નેતાને રાજ્યપાલ બનાવાયા છે. આ પહેલા વજુભાઇ વાળાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી સીધા કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા.ત્યારે તાજેતરમાં બહેન રજા પર જતા ગુજરાતના રાજ્યપાલ કોહલીને મધ્ય પ્રદેશનો વધારાનો ચાર્જ ઓ.પી.કોહલીને સોંપવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે હાલ ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની વાત રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાવામાં આવેલ એક સંદેશમાં કરવામાં આવી હતી. અને કારણ દર્શાવતા તેમાં જણાવાયું હતું કે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ હાલ રજા પર ગયા છે. ત્યારે એક તરફ કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થયેલ છે અને બીજી તરફ આનંદ બહેન રજા પર ગયા હોવાના સમાચાર પ્રસિધ્ધ થતા અનેક અટકળો શરૂ થવા પામી હતી.