રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયા બાદ મેઘરાજાએ અચાનક જ વિરામ લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાયુ વાવાઝોડાની અસરને લઈને પડેલા વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે....રાજકોટ જિલ્લામાં દર વર્ષે જુલાઈની શરૂઆતના પખવાડિયામાં 26 ટકા વરસાદ થતો હોય છે પરંતુ આ વર્ષે માત્ર 12 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ કુવા અને બોરમાં પણ પાણીના સ્તર નીચા ગયા છે. ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ છે. ત્યારે વ્યાજે રૂપિયા લઈ અને મોંઘા બિયારણની ખરીદી કર્યા છતાં વરસાદ ન આવતા ખેડૂતો દેવામાં ડૂબે તેવી શક્યતા સેવાઈ રહી છે .આમ,રાજકોટ જિલ્લામાં સરેરાશ વરસાદ કરતા અધડા જ ભાગનો વરસાદ પડતાં હાલ ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.......