મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સાથે શિવસેનાના જોડાવા પર વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે આશા દર્શાવી છે કે શિવસેના પોતાના હિન્દુત્વના એજન્ડા પર અડગ રહેશે. રંજીતે કહ્યું, જ્યાં સુધી હું ઉદ્ધવ જીને જાણુ છું, તે ક્યારેય પણ પોતાની હિન્દુત્વની વિચારધારાને નહીં છોડે અને સત્તા માટે વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગથી પાછળ નહીં હટે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શિવસેના હિન્દુત્વ પર કોંગ્રેસની વલણ બદલી દેશે.
રંજીત સાવરકરે કહ્યું, આશા છે કે હિન્દુત્વનો રસ્તો નહીં છોડે ઉદ્ધવ ઠાકરે
રંજીત સાવરકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાવરકરને ભારત રત્ન આપવાની માંગથી પાછા નહીં હટે
બીજેપી અને શિવસેનાએ સત્તામાં આવવા પર સાવરકરને ભારત રત્ન આપવાની વાત કહી હતી
મહારાષ્ટ્રમાં શિવસેનાના કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવાને લઇને સાવરકરના પૌત્રે ટિપ્પણી કરી. સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે મને વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરે ક્યારેય હિન્દુત્વની પોતાની વિચારધારાથી સમજુતી નહીં કરે. આટલું જ નહીં રંજીત સાવરકરે કહ્યું કે તેમને આશા છે કે ઉદ્ધવ ઠાકરે સાવરકરને ભારત રત્ન આપવાની માંગથી પાછા નહીં હટે.
તેમણે કહ્યું કે મને લાગે છે કે શિવસેના હિન્દુત્વને લઇને કોંગ્રેસના સ્ટેન્ડને બદલવામાં સફળ રહેશે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા બીજેપી અને શિવસેનાએ સત્તામાં આવવા પર સાવરકરને ભારત રત્ન આપવાની વાત કહી હતી.
Ranjeet, Veer Savarkar's grandson, on Shiv Sena joining hands with NCP-Congress: As far as I know Uddhav ji, he won't ever leave his Hindutva ideology&back off from demand of Bharat Ratna to Veer Savarkar for power. I'm confident,Shiv Sena will change Congress' stance on Hindutva pic.twitter.com/XYeCGjE8Vc
હિન્દુત્વ પર પોતાના વિચારો માટે ચર્ચિત રહેલા સાવરકર હિન્દુ મહાસભા સાથે જોડાયેલા હતા. મહારાષ્ટ્રમાં વીર સાવરકરનું નામ આદરથી લેવામાં આવે છે. ખાસ કરીને હિન્દુત્વની વિચારધાર સાથે જોડાયેલી રાજનૈતિક અને સામાજિક પાર્ટી સાવરકરને પોતાના આદર્શ માને છે.