બેંક કર્મચારીઓ પર કામનું ખૂબ જ દબાણ રહે છે. બેંક કર્મચારી સતત આવી ફરિયાદ કરતા મળી જતા હોય છે. પરંતુ બિહારમાં એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે જ્યારે કર્મચારીઓની ઓછા હોવાને કારણે કામનું દબાણ એટલુ વધી ગયુ હતુ કે બેંક કર્મચારીએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખીને પત્નીની હત્યા કરવાની માંગ કરી.
રજા ના મળવા પર બેંક મેનેજર મુન્ના પ્રસાદે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ અને ડીએમને ચિઠ્ઠી લખી. તેમણે ચિઠ્ઠીમાં લખ્યુ કે ''સાહેબ મારી પત્ની બિમાર છે તેની સારવાર માટે રજા મળી રહી નથી. ક્ષેત્રીય કાર્યાલયની મહિલા અધિકારી એ રજા આપવાનો ઇન્કાર કરી દીધો છે.''
'વિશેષ' આગ્રહ કર્યો કે તેમણે અગ્નિ સંસ્કારની રજા આપવાની વાત કરી આ માટે મારે 2 દિવસની 'વિશેષ' રજા જોઇએ છે જેથી મારી પત્નીની હત્યા કરીને તેનો અગ્નિ સંસ્કાર કરી શકાય. દરરોજ ઘુટી ઘુટીને આ પ્રકારે કામ નહી કરી શકાય.
ત્યારે વરિષ્ઠ અધિકારીઓને જ્યારે આ વાત ખબર પડી ત્યારે તેમણે મુન્ના પ્રસાદને રજા આપી દીધી જેથી તેમની બિમાર પત્નીની સારવાર કરાવી શકાય.મુન્ના પ્રસાદ બક્સર જિલ્લાના બકસડા મધ્ય બિહાર ગ્રામાણી બેંકના બ્રાન્ચ મેનેજર પદ પર છે.
મુન્ના પ્રસાદ જણાવે છે કે ''તેમની પત્ની છેલ્લા એક વર્ષથી કિડનીની બિમારીથી પીડિત છે. બિમારીનું કારણ તેમને અઠવાડિયામાં 2 વખત ડાયલિસિસ કરાવવું પડે છે. બ્રાન્ચમાં પૂરતા કર્મચારી નથી હોતા જેના કારણે બ્રાન્ચમાં માટે ભાગે તેઓ એકલા જ કામ કરે છે. આ કારણે પત્નીના સારવાર માટે રજા નથી મળી રહી જે લીધે તેમણે આ પગલું ભરવુ પડ્યુ હતુ.''