સરકાર માત્ર એવા જ પીએસયુમાં પોતાનો હિસ્સો ૫૧ ટકાથી વધુ રાખવા માગે છે કે જેમાં આવું કરવું અનિવાર્ય હોય. આ કારણસર ૨૮ ઓક્ટોબરે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે. તેમાં નક્કી થશે કે કેટલા પીએસયુની કમાન પ્રાઇવેટ સેક્ટરને સોંપવામાં આવે.
સરકાર હવે મોટી સંખ્યામાં પીએસયુની કમાન પ્રાઇવેટ સેક્ટરને સોંપવાની તૈયારીમાં છે
૨૮ ઓક્ટોબરે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે
સરકાર હવે મોટી સંખ્યામાં સરકારી કંપનીઓ એટલે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ)ની કમાન પ્રાઇવેટ સેક્ટરને સોંપવાની તૈયારીમાં છે. સરકાર માત્ર એવા જ પીએસયુમાં પોતાનો હિસ્સો ૫૧ ટકાથી વધુ રાખવા માગે છે કે જેમાં આવું કરવું અનિવાર્ય હોય. આ કારણસર ૨૮ ઓક્ટોબરે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે. તેમાં નક્કી થશે કે કેટલા પીએસયુની કમાન પ્રાઇવેટ સેક્ટરને સોંપવામાં આવે. આ બેઠકમાં આઠ મંત્રાલયોના સચિવોન પણ બોલાવવામાં આવ્યા છે.
શા માટે PSUs માં ભાગીદારી ઘટાડવા ઇચ્છે છે સરકાર?
સૂત્રોના જણાવ્યા અનુસાર જે મંત્રાલયના સચિવને બોલાવાયા છે તેમાં નાણાં, કોર્પોરેટ, કાયદા, ઓઇલ, પેટ્રોલિયમ, સ્ટીલ અને રસાયણ મંત્રાલયના સચિવનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં એ પીએસયુની યાદી બનાવવામાં આવશે કે જેને ખાનગી ક્ષેત્રને સોંપી શકાય. ત્યાર બાદ વડા પ્રધાન કાર્યાલયની મંજૂરી બાદ ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ તેમાં સરકારી હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં ઓઇલ કંપની બીપીસીએલમાં સંપૂર્ણ હિસ્સો વેચવા અને શિપિંગ કોર્પોરેશનમાં પોતાનો હિસ્સો ૫૧ ટકાથી ઘટાડવાનો નિર્ણય કર્યો છે અને તે માટે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે.