હોદ્દો સંભાળતા જ દેશના નવા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટરને દેશના નવા આઈટી નિયમોનું પાલન કરવાની તાકીદ કરી દીધી છે અને ટ્વિટરે નિયમો માનવા જ પડશે.
અશ્વિની વૈષ્ણવ દેશના નવા IT મંત્રી
હોદ્દો સંભાળતા જ ટ્વિટરને આપી ઉગ્ર ચેતવણી
દેશનો કાયદો સર્વોપરી, કોઈ પણ ભોગે નવા નિયમોનો અમલ કરવો પડશે
ટ્વિટરના સરકાર સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે નવા આઈટી મંત્રીની આ તાકીદથી સ્પસ્ટ બન્યું છે કે સરકાર ટ્વિટરને નવા નિયમોનું પાલન કરાવવા માંગે છે. અશ્વીની વૈષ્ણવે હોદ્દો સંભાળતા જ ટ્વિટરને આકરો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે દેશનો કાયદો બધાની ઉપર છે.
નવા નિયમોમાં એવી જોગવાઈ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે જવાબદાર હશે. તેનાથી ટ્વિટર હવે કન્ટેન્ટ માટે જવાબદાર રહેશે. જોકે ટ્વિટર પર આરોપ છે કે તેણે નવા નિયમો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
ITના નિયમોનું પાલન ન કરતાં કેન્દ્રએ કરી અરજી
ITના નિયમો લાગુ પડયા બાદ પણ હવે ફરિયાદ દાખલ કરનાર અધિકારીની નિયુક્તિ ના કરવા પર અમિત આચાર્યએ ટ્વિટર વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે ટ્વિટર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે? ત્યારે કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું જે ટ્વિટર દ્વારા નિયમ પાલન કરવામાં નથી આવ્યા, સાથે જ ટ્વિટરના વકીલ દ્વારા પણ એ જ વાત કહેવામાં આવી કે અમે લોકોએ ITના નિયમોનું પાલન નથી કર્યું.