બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / government employees gehlot sarkar full benefit pension after 25 years service
Bijal Vyas
Last Updated: 03:43 PM, 7 June 2023
રાજસ્થાન સરકારે પોતાના કર્મચારીઓને મોટી રાહત આપી છે. હવે રાજ્યના સરકારી કર્મચારીઓ 25 વર્ષની સેવા બાદ પેન્શનનો સંપૂર્ણ લાભ લઈ શકશે. મંગળવારે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં કેબિનેટે રાજસ્થાન સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 1996માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સુધારા પછી, કર્મચારીઓ 25 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્તિ પર સંપૂર્ણ પેન્શનનો લાભ મેળવવા માટે પાત્ર બનશે. પ્રેસ રિલીઝ મુજબ, આ નિયમમાં સુધારા પહેલા, સંપૂર્ણ પેન્શન મેળવવા માટે સરકારી કર્મચારીઓ માટે 28 વર્ષ સુધી સેવા આપવી ફરજિયાત હતી.
પેન્શન મળનાર વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારને મળશે લાભ
આ ઉપરાંત હવે 75 વર્ષના પેન્શનરો અથવા પરિવારો 10 ટકા વધારાનું પેન્શન ભથ્થું લઈ શકશે. સરકારના નવા નિર્ણય મુજબ, પેન્શનર, તેના પરિણીત વિકલાંગ પુત્ર અથવા પુત્રીના મૃત્યુ પર, 12,500 રૂપિયા દર મહિને કમાણી કરતા પાત્ર સભ્યોને પણ ફેમિલી પેન્શનનો લાભ મળી શકશે. સરકારના નવા સુધારાની સૂચના 1 એપ્રિલ, 2023થી લાગુ થશે.
ગેહલોતે કરી બજેટની ઘોષણા
કેબિનેટે પ્રમોશન, વિશેષ પગાર અને હોદ્દા સંબંધિત અન્ય ઘણા નિર્ણયો પણ લીધા હતા. રાજસ્થાન સિવિલ સર્વિસીસ (સુધારેલા પગાર) નિયમો, 2017 માં સુધારા માટેના અન્ય પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી કર્મચારીઓના વિશેષ પગારમાં વધારો થશે. ગેહલોતે 2023-24ના રાજ્યના બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી.
કેબિનેટના આ નિર્ણયો પર લાગશે મોહર
કેબિનેટે બીકાનેરના ભીલવાડાના વીર ગુર્જર વિકાસ તથા ધર્માર્થ ટ્રસ્ટ, બીકાનેરમાં રૈગત સમાજ માટે હોસ્ટેલ માટે જમીન ફાળવી છે. આ ઉપરાંત દૌસા મેડિકલ કોલેજનું નામ પંડિત નવલ કિશોર શર્માના નામ પર રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army