દીકરીઓનુ ભવિષ્ય ઉજ્જવળ કરતી સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાની બચત યોજનાઓ પર સરકારે વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય પરત લીધો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઇને મહત્વના સમાચાર
દીકરીઓ માટે ખોલાવેલુ ખાતુ ચૅક કરો
દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે છે આ યોજના
સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ઇન્ટ્રસ્ટ રેટ ઘટાડવાનુ એલાન કર્યુ હતું. સુકન્યા સમૃદ્ધિ સ્કીમ યોજનાનો ઇન્ટ્રેસ્ટ રેટ 7.6 હતો જેને ઘટાડીને 6.9 કરી દેવાની જાહેરાત કરાઇ હતી. જોકે આજે નાની બચત યોજનાઓ પર સરકારે વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય પરત લીધો છે. નાની બચત યોજનાઓ પર જૂનુ વ્યાજ દર યથાવત્ રહેશે. આ અંગે નાણામંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી છે.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021.
Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia@PIB_India
દીકરીઓના લગ્નથી લઇને ભણતર સુધીમાં મદદ મળે તેના માટે સરકારે આ સ્કીમ શરૂ કરી છે. જેનો ફાયદો ઘણા લોકોએ ઉઠાવ્યો છે. સુકન્યા અકાઉન્ટ્સમાં પોસ્ટ ઓફીસની સૌથી વધુ રિટર્ન આપનાર સ્કીમ છે. સુકન્યા યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનુ પણ ડિપોઝીટ અકાઉન્ટ ખોલાવી શકાય છે.
પરિવારમાં બે દીકરીઓ હોય તો બંનેનુ સુકન્યા યોજનામાં ખાતુ ખોલવાની સુવિધા મળે છે. આ અકાઉન્ટમાં વાર્ષિક 250 રૂપિયાથી લઇને 150000 રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.
કેવી રીતે એક્ટિવ કરશો ખાતુ
પોસ્ટ ઓફિસની વૅબસાઇટ પર આપેલી જાણકારી અનુસાર તમારી દીકરીનું સુકન્યા ખાતુ બંધ થઇ જાય તો પોતાની પોસ્ટ ઓફીસની બ્રાંચમાં જવુ પડશે અને ત્યાં જઇને ફરીથી ખાતુ ખોલાવવુ પડશે. સાથે જ પેનલ્ટી પણ ચૂકવવી પડશે.
250 રૂપિયામાં ખોલાવો ખાતુ
આ સ્કીમ એક પોસ્ટ ઓફીસ આધારીત સ્કીમ છે. એટલે કે તમે દેશમાં કોઇ પણ જગ્યાએ આવેલી પોસ્ટ ઓફીસમાંથી ખોલાવી શકો છો. ખાસ વાત તે છે કે તમારે ઓછામાં ઓછા 250 રૂપિયા ભરવા પડશે. 21 વર્ષ સુધી તમારે આ રાશિ ભરવી પડશે.
જરૂરી દસ્તાવેજ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ કે નજીકની બેન્કમાં પોતાની દીકરીનુ બર્થ સર્ટીફીકેટ પણ જમા કરાવવુ પડશે. સાથે જ બાળકી અને માતા પિતાનુ ઓળખાણ પત્ર જેમ કે પાન કાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વેગેરે. જ્યાં રહેઠાણ છે તે જગ્યાનુ પ્રમાણપત્ર જેમકે પાસપોર્ટ, વીજળીનુ બિલ વગેરે જમા કરાવવુ પડશે.
નિયમ અને શરતો
ખાતુ ખોલાવવાના 21 વર્ષ પૂર થયા બાદ ખાતુ મેચ્યોર થઇ જશે પરંતુ શરત તે છે કે જો દીકરીના લગ્ન 21 વર્ષ પહેલા કરાવી દેવામાં આવે છે તો તે જ સમયે ખાતુ બંધ કરી દેવુ પડશે.
પહેલા માત્ર 2 દીકરીઓનુ ખાતુ ખોલાવવામાં આવતુ હતુ પરંતુ હવે તમે 3 ખાતા પણ ખોલાવી શકો છો.
જોડીયા બાળકોના જન્મ થયા હોય અને પહેલા જ જન્મમાં 3 બાળકીઓ પેદા થાય છે તો ખાતુ ખોલાવી શકાય છે.
ખાતામાં વાર્ષિક 250 રૂપિયા જમા નહી કરાવો તો ખાતુ ઇનએક્ટિવ થઇ જશે
દીકરીના 18 વર્ષ થવા સુધી SSY ખાતુ સંભાળવાની અનુમતિ નહી આપે