ગુજરાતમાં રોજની કેટલીય બાળકીઓ અને કિશોરીઓ દુષ્કર્મનો ભોગ બને છે. સુરતમાં એક કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. 6 નરાધમોએ પોતાની હવસ સંતોષવા માટે એક માસૂમનો શિકાર કર્યો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની દુહાઈ સામે આવે કે શું ગુનેગારોમાં પોલીસ કે કાયદાની કોઈ જ બીક નથી? વારંવાર આવા દુષ્કર્મો કેમ ઘટી રહ્યા છે? આ માટે કેમ કોઈ પગલા પરવામાં નથી આવતા?
સુરતના અમરોલી વિસ્તારમા કિશોરી પર દુષ્કર્મ આચર્યુ
પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
અમરોલી પોલીસે દુષ્કણીની ફરિયાદ નોંધી
રાજ્યમાં વધુ એક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. 6 જેટલા શખ્સો દ્વારા અલગ-અલગ સ્થળે લઇ જઇ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું. અમરોલી પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી અને હાલ પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
બેટી બચાઓ અભિયાન ખાલી નામના જ?
ગુજરાત પોલીસ સામે પ્રશ્નો ઉઠી રહયા છે તો વળી કાયદો અને ન્યાય પ્રણાલી સામે પણ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કેમ બળજબરી કે દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધ વારંવાર બને છે? ખરેખર ગુનેગારોને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ નથી? એક બાજુ દીકરીઓ માટે મહિલાઓ માટે નવી નવી યોજનાઓ જાહેર કરી બેટી પઢાઓ, બેટી બચાવો જેવા સૂત્રો પોકારવામાં આવતા હોય અને બીજી તરફ બેખોફ દીકરીઓ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવતા હોય આ તે કેવો વિરોધાભાસ?