ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણપતિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુણેશ ચતુર્થીએ ભગવાન ગણપતિની વિશેષ સ્થાપના શુભ મૂહુર્તમાં કરવી ફળદાયી ગણવામાં આવે છે.
ભગવાન ગણપતિની સ્થાપના અમૃત શુભ અને લાભ ચોઘડિયામાં કરવાથી પણ વિશેષ લાભ મળે છે. આવો જાણીએ ગણેશચતુર્થીએ રાશિ અનુસાર કયા દિવ્ય ઉપાયો કરવા જોઈએ અને ભગવાન ગણેશને કયો ભોગ ધરાવવો જોઈએ.
મેષ
આ રાશિવાળાઓએ ભગવાન ગણપતિને ગુલાબના લાલ ફૂલની સાથે પાંચ મોદક અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી પારિવારિક ક્લેશ ખતમ થાય છે અને સાથે જ ધન લાભ પણ થાય છે.
વૃષભ
આ રાશિના લોકોએ ભગવાનની મંગળ મૂર્તિને ગુલાબી વસ્ત્ર અર્પણ કરવાની સાથે સાથે નારિયેળ પણ અર્પણ કરવું. અચાનક આવેલા સંકટોથી રક્ષણ મળવાની સાથે સાથે ધનની પ્રાપ્તિ પણ થશે.
મિથુન
આ રાશિના જાતકોએ ભગવાન ગણેશને 108 લીલી દૂર્વાને મૌલીથી બાંધીને અર્પણ કરવા. સાથે જ લીલા શાક અને ફળનું પણ જરૂરિયાતોને દાન આપવું. આમ કરવાથી સમસ્યાઓ ઝડપથી દૂર થશે.
સિંહ
આ રાશિના લોકોએ ભગવાન ગણપતિને લાલ મિઠાઈ અને પીળા રંગનું ફળ ચઢાવવું. આમ કરવાથી અચાનક આવનારા ગુસ્સામાં રાહત મળે છે અને સાથે જ નોકરીની સમસ્યાઓ પણ દૂર થાય છે.
કન્યા
આ રાશિના જાતકોએ ગણેશજીને પેઠાની મિઠાઈનો ભોગ ધરાવવો. સાથે જ બે લવિંગ પણ ધરાવો. તેનાથી પારિવારિક ક્લેશ ખતમ થશે અને ધનની પ્રાપ્તિ થશે.
તુલા
આ રાશિના લોકોએ ભગવાન ગણેશજીને લાલ મિઠાઈની સાથે 2 સોપારી પણ ધરાવો. આમ કરવાથી પારસ્પરિક સંબંધોમાં મધુરતા આવશે.
વૃશ્વિક
આ રાશિના લોકોએ ભગવાન ગણપતિને લાલ જાસૂદના ફૂલ અથવા તો ગુલાબનું ફૂલ અત્તર લગાવીને ચઢાવવું. સાથે જ 11 મોદકનો ભોગ ચઢાવવો. નાના બાળકોને આ ભોગ આપી જો અને સાથે જ બાળકોની સમસ્યા દૂર થશે.
ધનુ
આ રાશિના લોકોએ ભગવાન ગણેશજીને શક્ય હોય તો પોતાની ઉંમરના બરાબર લાડુનો ભોગ ધરાવવો. સાથે તેને જરૂરિયાતવાળા બાળકોમાં વહેંચી દેવા. તેનાથી દામ્પત્ય જીવનના ક્લેશ દૂર થશે.
મકર
ભગવાન મંગળ મૂર્તિને એક નારિયેળ પર કલાવા લપેટીને લાલ વસ્ત્રની સાથે અર્પણ કરો. આમ કરવાથી જમીન અને સંપત્તિની સમસ્યા પૂર્ણ થશે.
કુંભ
આ રાશિના લોકોએ ભગવાન ગણપતિને સવા મીટરના લીલા કપડાંની સાથે કંકુ અને મોદક ચઢાવવા. આમ કરવાથી વિદ્યામાં આવી રહેલી અડચણો ખતમ થાય છે.
મીન
આ રાશિના જાતકોએ ભગવાન ગણપતિને બે સફેદ જનોઈ અને નારંગી વસ્ત્ર એલચી સાથે અર્પણ કરવું. આમ કરવાથી રોકાયેલું ધન ઝડપથી પાછું મળે છે.