આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી RBSKના નવા વાહનોનુ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
ગુજરાત સરકારનું વધુ મહત્વનું પગલું
બાળકોના આરોગ્યની સુખાકારી માટે RBSKના નવા વાહનોનું આરોગ્યમંત્રી કરાવ્યું પ્રસ્થાન
છેવાડાના ગામડાના બાળકોના સ્વાસ્થ્યની થશે ચકાસણી અને સારવાર
આર.બી એસ.કે અંતર્ગત જન્મથી લઇ ૧૮ વર્ષ સુધીના બાળકોનુ સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ કામગીરી સ્વસ્થ અને સક્ષમ પેઢીના નિર્માણ માટે મહત્વની બની રહેશે તેવો ભાવ આરોગ્ય મંત્રીએ વ્યકત કર્યો હતો.
છેવાડાના ગામડા સુધીના બાળકની થશે આરોગ્યની તપાસ
આર.બી એસ.કેની ટીમ શહેરથી લઈને ગામના અંતિમ બાળકને પ્રાઇમરી અને ટર્સરી પ્રકારની તમામ આરોગ્યલક્ષી સેવાઓ સત્વરેઉપલબ્ધ કરાવવા આ વાહનોમા સજ્જ હેલ્થ ટીમ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. આજે ગાંધીનગર જિલ્લામાં ૨૪ નવીન RBSK વાહનોનું લોકાર્પણ કરાયું છે.સમગ્ર ગુજરાતમાં ૯૯૨ વાહનો રાજ્યના બાળકોનું ઘરે-ઘરે જઈને સ્ક્રિનિંગ અને તપાસની શ્રેષ્ઠતમ કામગીરી કરી રહ્યા છે.
શહેરથી લઈ ગામના અંતિમ બાળકને પ્રાથમિક અને ટર્સરી પ્રકારની તમામ આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે પ્રદાન કરવા અર્થે સજ્જ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ (RBKS) વાહનોના 24 નવા સ્વરૂપને ગાંધીનગરમાં આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી @Nimishaben_BJP ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. pic.twitter.com/mqErvDJRep
એક વાહન દરરોજ ૭૦થી ૮૦ જેટલા બાળકોની તપાસ હાથ ધરે છે. રાજ્યના ૧ કરોડ ૬૦લાખ બાળકો ને આર.બી એસ.કે અંતર્ગત સુવિધા અને સારવાર માટે આવરી લેવામાં આવ્યા છે. RBSKના વાહનોને મળેલા નવા સ્વરૂપ તેનું બ્રાન્ડિંગ ગ્રામ્ય સ્તરે અસરકારક બનાવીને આ ટીમની કામગીરીને નવી ઓળખ આપશે. જેના થકી બાળકો માટે આ સુવિધા સઘન અને સરળતાથી પહોંચશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ આર.બી એસ.કે ની ટીમ સાથે સંવાદ સાધીને તેમની કામગીરી અંગે વિગતવાર તાગ મેળવ્યો હતો.
ઉચ્ચાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આર.બી એસ.કે વાહનોના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, એન.એચ.એમ ના ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.