અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના 10 નગર સેવકોએ રાજીનામાં આપતા 'ઉકળતા ચરુ' જેવી સ્થિતિ. એક ફોર્મ્યુલા પ્રમાણે 4 વર્ષ માટે 4 લોકોને એક- એક વર્ષ માટે વિપક્ષ નેતા બનાવવા શક્યતા
મહાપાલિકાના 'પંજા'માં બળા-બળનાં પારખા
AMCના વિપક્ષી નેતા મુદ્દે બે જૂથ આમને-સામને
બે સદસ્યોની કમિટીને 'તાપણું'ઓલવવા જવાબદારી
ગુજરાત વિધાનસભા ચુંટણી આડે માત્ર 10 મહિના બાકી છે ત્યારે, કોંગ્રેસમાં 'એક સાંધતા તેર તૂટે છે' માંડ માંડ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાનો લાંબા સમયથી ગૂંચવાયેલો મુદ્દો સુલ્જ્યો, ત્યાંજ અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના 10 નગર સેવકોએ રાજીનામાં આપતા 'ઉકળતા ચરુ' જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે'. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. જો કે, તેમ કહ્યું કે, રાજીનામાં જેવી કોઈ વાત નથી. એક ફોર્મ્યુલા પ્રમાણે 4 વર્ષ માટે 4 લોકોને એક- એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ મહા નગર પાલિકામાં મહાપાલિકાની ચૂંટણી બાદ હજુ સુધી વિરોધ પક્ષના નેતાની વરાયા નથી.ત્યારે શહેજાદખાન પઠાણનું વિપક્ષના નેતા બનવાનું નક્કી થવાની વાત સામે આવતા, શહેઝાદ વિરોધી બીજું જૂથ મેદાનમાં ઉતર્યું છે, અને શહેઝાદને પદ આપાવા અંગે વિરોધ નોંધાવી રહ્યું છે. મહાનગર પાલિકામાં 14 કોર્પોરેટરે માંથી 10 જેટલા કોર્પોરેટરે કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી, જેમાંથી 10 એ રાજીનામા આપી દીધા છે. .