છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાતા કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનિલ જોષિયારા પંચમહાભૂતમાં વિલીન થયા. ભિલોડાના ચુનાખણ ગામે તેઓની અંતિમયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે ભિલોડા ખાતે અનિલ જોષિયારાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પરિવારજનોને રૂબરુ મળીને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેર ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો રાજેન્દ્રસિંહ,પૂંજા વંશ, જશુ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
કોરોનાથી થયુ અવસાન
ભિલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાનું 14 માર્ચે 69 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયગાળાથી બીમાર હતા. નોંધનીય છે કે,ગત જાન્યુઆરી મહિનામાં કોરોનાગ્રસ્ત થયાં હતા. કોરોના સંક્રમિત થયાં બાદ તેમને ગત મહિને ચેન્નાઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે લાંબી સારવાર બાદ તેમનું ચેન્નાઈ ખાતે નિધન થતાં સમર્થકો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના અવસાનથી દુઃખ થયું. લોકસેવક તરીકે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…। ૐ શાંતિ…॥
ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના અવસાનથી દુઃખ થયું. લોકસેવક તરીકે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…।
ૐ શાંતિ…॥
તો કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ડો. અનિલ જોષીયારા જીના દુ:ખદ નિધનથી વ્યથિત છું. આદિવાસી ભાઈ-બહેનોના કલ્યાણ અને ઉત્થાન માટેનુ તેમનું યોગદાન હંરહંમેશ યાદ રહેશે. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ શાંતિ
ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ડો. અનિલ જોષીયારા જીના દુ:ખદ નિધનથી વ્યથિત છુ.
આદિવાસી ભાઈ-બહેનોના કલ્યાણ અને ઉત્થાન માટેનુ તેમનું યોગદાન હંરહંમેશ યાદ રહેશે. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે.
24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડૉ.અનિલ જોષીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેમણે 1979માં MBBS અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી.
ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન હતા
તમને જણાવી દઈએ કે, ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ જવાબદારી સંભાળી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.
4 ટર્મ ચૂંટાઈ આવ્યા ધારાસભ્ય પદે, આરોગ્ય મંત્રી પદ પણ શોભાવ્યું
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.