બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / former cm of andhra pradesh chandrababu naidu arrested by cdi in corruption case
Manisha Jogi
Last Updated: 09:01 AM, 9 September 2023
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના CID વિભાગે ભ્રષ્ટાચાર મામલે જે સવારે TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી છે. ચંદ્રબાબુ નાયડૂને મેડિકલ તપાસ માટે એરલિફ્ટ કરીને નંદ્યાલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમણે ના પાડી દીધી. જેથી હવે કેમ્પમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારપછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
CID આજે સવારે વોરંટ લઈને પહોંચી ગઈ હતી
ચંદ્રબાબુ નાયડૂએ કાલે નંદ્યાલ જિલ્લાના બનગનપલ્લીમાં જનસભાને સંબોધન કર્યું હતું. સાર્વજનિક સંબોધન પછી ચંદ્રબાબુ નાયડૂ વેનિટી વેનમાં આરામ કરી રહ્યા હતા. CID સવારે સાડા ત્રણ વાગ્યે ચંદ્રબાબુ નાયડૂની ધરપપકડ કરવા માટે વેનિટી વેનમાં ગઈ હતી. પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓએ વેનિટી વેનને ઘેરી લીધી અને ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવા દીધી નહોતી.
TDP કાર્યકર્તા અને પોલીસ વચ્ચે રકઝક
નેતાઓ અને આંધ્રપ્રદેશ CID પોલીસ વચ્ચે ગંભીર રકઝક થયા પછી ચંદ્રબાબુ નાયડૂએ વેનિટી વેનમાંથી બહાર આવીને પોલીસ સાથે ચર્ચા કરી હતી. 51 CRPC હેઠળ ધરપકડ કરવા માટે નોટીસ જાહેર કરવામાં આવી હતી. ચંદ્રબાબુ નાયડૂએ ડિટેઈલ્સ માંગી પરંતુ પોલીસે તે માહિતી આપવાની ના પાડી દીધી હતી. ચંદ્રબાબુ નાયડૂને પૂછપરછ કર્યા પછી વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. ચંદ્રબાબુ નાયડૂ પોલીસને સહયોગ કરવા માટે સહમત થયા હતા.
શા માટે ધરપકડ કરવામાં આવી?
ચંદ્રબાબુ નાયડૂ કૌશલ વિકાસ ગોટાળામાં આરોપી હોવાનું કહેવામાં આવ્યું છે, જેમાં 250 કરોડથી વધુનો સ્કેમ કર્યો હોવાનો આરોપ છે. ચંદ્રબાબુ નાયડૂ અને તેમના અધિવક્તાઓએ તપાસ અધિકારીઓને સાક્ષી પ્રદાન કરવા માટેનું કહ્યું હતું. ચંદ્રબાબુ નાયડૂએ CID અધિકારીઓને સવાલ કર્યો છે કે, તેમની સંલિપ્તતા વિશે જાણકારી આપ્યા વગર કેવી રીતે ધરપકડ કરવામાં આવી શકે? જેના જવાબમાં પોલીસે જણાવ્યું છે કે, 24 કલાકમાં રિમાન્ડ રિપોર્ટ પ્રદાન કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army