બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મુંબઈ / for ganpati festival gsb seva mandal of maharashtra insures 316 40 crore

સેફ્ટી ફર્સ્ટ / ગણેશ ઉત્સવ માટે આ મંડળે કરાવ્યો 316.40 કરોડનો વીમો! ઘરેણા, પૂજારી, સ્વયંસેવકો સહિત ભક્તો માટે પણ લીધો ઈન્શ્યોરન્સ

Arohi

Last Updated: 06:04 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના સૌથી સમૃદ્ધ ગણેશ મંડળોમાંના એક, GSB સેવા મંડળે આગામી ગણપતિ ઉત્સવ માટે રૂ. 316.40 કરોડનો વીમો કરાવ્યો છે.

  • GSB સેવા મંડળની ગણેશ ઉત્સવની તૈયારીઓ 
  • કરાવ્યો 316.40 કરોડનો વીમો 
  • અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો 

ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઈમાં ખૂબ જ રોનક હોય છે. શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવાર પર શણગારવામાં આવેલા બાપ્પાના પંડાલ દેશભરમાં પ્રખ્યાત છે. મુંબઈના ઘણા પ્રખ્યાત ગણેશ પંડાલો પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ગણેશ મંડળ તેમનો વીમો પણ કરાવે છે. મુંબઈના સૌથી સમૃદ્ધ ગણેશ મંડળોમાંના એક, GSB સેવા મંડળે આગામી ગણપતિ ઉત્સવ માટે રૂ. 316.40 કરોડનો વીમો ઉતાર્યો છે.

દરેક ભક્તોનો વીમો 
મુંબઈના કિંગ્સ સર્કલ સ્થિત GSB સેવા મંડળના પ્રમુખ વિજય કામથે જણાવ્યું હતું કે બુધવારથી શરૂ થતા 10-દિવસીય તહેવાર માટે તમામ જાહેર જવાબદારીઓ અને મંડળની મુલાકાત લેતા દરેક ભક્તને વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બોર્ડના પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે કોઈપણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે.

GSB આ વર્ષે 68માં ગણપતિ ઉત્સવની કરી રહ્યું છે તૈયારી 
અધિકારીના જણાવ્યા અનુસાર રૂ. 316.4 કરોડના વીમામાં સોનું, ચાંદી અને અન્ય કીમતી ચીજો માટે રૂ. 31.97 કરોડનું કવર અને પંડાલ, સ્વયંસેવકો, પૂજારીઓ, રસોઈયાઓ, જૂતા સ્ટોલ પર કામ કરતા કામદારો, પાર્કિંગ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ માટે રૂ. 263 કરોડના વ્યક્તિગત વીમાનો સમાવેશ થાય છે. GSB સેવા મંડળ આ વર્ષે તેનો 68મો ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યું છે.

ક્યારથી શરૂ થશે ગણેશોત્સવ?
ગણેશ ઉત્સવની શરૂઆત ગણેશ ચતુર્થીથી થાય છે અને અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે જે 10 દિવસ પછી આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 9મી સપ્ટેમ્બરે આવી રહી છે. તે જ દિવસે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે ગણેશજીની સ્થાપના મુહૂર્ત સવારે 11.05 થી બપોરે 1:38 સુધી છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાથી સુખ અને શાંતિ મળે છે. શુભ-લાભનો વાસ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ