બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Floods in northeast Trahimam: 62 killed in Assam, millions homeless, heavy rains still forecast
Priyakant
Last Updated: 10:35 AM, 19 June 2022
દેશના ઉત્તરપૂર્વ ભાગમાં ભારે વરસાદ પછી આવેલા પૂરે તબાહી મચાવી છે. પૂર્વોત્તરના લગભગ દરેક રાજ્ય આ કુદરતી આફતથી પ્રભાવિત છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આ પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. અહીં ઘણા લોકો બેઘર થયા, ઘણા લોકો મૃત્યુ પામ્યા, પાક નાશ પામ્યો, રસ્તાઓ તૂટી ગયા અને રેલ્વે સેવા ખોરવાઈ ગઈ. અહીં આવેલી કુદરતી આફતના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રાહત શિબિરોમાં રહીને આ આફતની શાંતિની રાહ જોઈ રહ્યા છે. જોકે હવે હવામાન વિભાગે 19 અને 20 જૂને મેઘાલય અને આસામમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આસામ-મેઘાલયમાં 2 દિવસમાં પૂર-ભૂસ્ખલનમાં 31 લોકોના મોત
આસામ અને મેઘાલયમાં છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનમાં 31 લોકોના મોત થયા છે. આસામના 28 જિલ્લાઓમાં લગભગ 19 લાખ લોકો અસરગ્રસ્ત છે. જ્યારે લગભગ એક લાખ લોકો રાહત શિબિરોમાં છે. પૂરમાં કુલ મૃતકોમાંથી 12 આસામમાં અને 19 મેઘાલયમાં મૃત્યુ પામ્યા છે. તો ત્રિપુરાની રાજધાની અગરતલામાં પણ ભીષણ પૂરની માહિતી છે. શહેરમાં માત્ર 6 કલાકમાં 145 મીમી વરસાદ નોંધાયો છે.
આસામમાં 3,000 ગામો પૂરમાં ડૂબી ગયા
આસામમાં લગભગ 3,000 ગામો પૂરમાં ડૂબી ગયા છે અને 43,000 હેક્ટર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે. આસામમાં પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)એ માહિતી આપી છે કે, છેલ્લા 24 કલાકમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 8 વધુ લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે. ભૂસ્ખલનને કારણે આઠ લોકોમાંથી 2 લોકો કરીમગંજ જિલ્લામાં અને 1 વ્યક્તિ હેલાકાંડી જિલ્લામાં જીવતા દટાઈ ગયા હતા અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, પૂરના પાણીમાં ડૂબી જવાથી છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યના 32 જિલ્લાના 4,291 ગામોમાં 30 લાખથી વધુ પ્રભાવિત થયા છે. હોજાઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી, જેમાં ત્રણ બાળકો ગુમ થયા હતા જ્યારે 21 અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. આસામ સરકારે પૂર અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા લોકો માટે ગુવાહાટી અને સિલચર વચ્ચે વિશેષ ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી છે.
ત્રિપુરામાં 10,000થી વધુ લોકો બેઘર થયા
ત્રિપુરામાં શુક્રવારથી અવિરત વરસાદને કારણે આવેલા પૂરને કારણે રાજ્યમાં 10,000 થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. જેથી છેલ્લા એક મહિનાથી ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. આ દરમ્યાનરાષ્ટ્રીય ધોરીમાર્ગ-6 પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે ગુરુવારે ત્રિપુરા અને દેશના બાકીના ભાગો વચ્ચેનો સપાટી સંપર્ક તૂટી ગયો હતો.
મેઘાલયમાં પૂરથી ભારે દોડધામ
મેઘાલયમાં અચાનક આવેલા પૂરથી ભારે હોબાળો મચી ગયો છે. દક્ષિણ ગારો હિલ્સ જિલ્લાના બાઘમારામાં ત્રણ અને સિજુમાં ભૂસ્ખલનના કારણે એકના મોત થયા છે. આ સાથે સીએમ કાનરાડે કુદરતી આફતમાં માર્યા ગયેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે.
અરુણાચલ પ્રદેશમાં નદીના પાણીથી એક ડેમ ડૂબી ગયો
આ તરફ પડોશી અરુણાચલ પ્રદેશમાં સુબાનસિરી નદીના પાણીથી એક ડેમ ડૂબી ગયો છે. જે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે નિર્માણાધીન હતો. મેઘાલય, આસામ, પેટા-હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો અને નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો.
મણિપુર અને મિઝોરમમાં પણ ભારે તબાહી
મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પૂરના કારણે એક વ્યક્તિના મોત બાદ કુલ મૃત્યુઆંક સાત થઈ ગયો છે. શનિવારે સવારે ઇમ્ફાલમાં વરસાદ ઓછો થયો પરંતુ થૌબલ, ઇમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુરમાં હજુ પણ સ્થિતિ સુધરી નથી. આ સાથે મિઝોરમમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 1066 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ 15 જૂને આ માહિતી આપી હતી. દક્ષિણ મિઝોરમનો લુંગલેઈ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.
1940થી અત્યાર સુધીમાં રેકોર્ડ વરસાદ થયો
અધિકારીઓએ કહ્યું છે કે, મેઘાલયના મૌસીનરામ અને ચેરાપુંજીમાં 1940થી અત્યાર સુધીમાં રેકોર્ડ વરસાદ થયો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા 60 વર્ષમાં અગરતલામાં આ ત્રીજો સૌથી વધુ વરસાદ છે. અચાનક આવેલા પૂરને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army