જામનગરમાં કમિશનર વિજય ખરાડી અને SP પ્રેમસુખ ડેલુએ નિરીક્ષણ કરી ઢોરને રસ્તા પર રખડતાં ન મૂકવા માલીકોને નોટિસ ફટકારી હતી.
રખડતાં ઢોર મામલે જામનગર મનપા એક્શનમાં
ઢોર માલિકોને સૂચના આપી ફટકારી આખરી નોટીસ
મ્યુનિ.કમિશનર વિજય ખરાડી અને SP પ્રેમસુખ ડેલુ દ્વારા કાર્યવાહી
જામનગરમાં રખડતા ઢોર મુદ્દે અનેક વખત જામનગર મનપા તંત્ર લોકરોષનો ભોગ બની ચૂક્યું છે. જેને લઈને હવે તંત્ર એકશનમાં આવ્યું છે. જામનગરની એક પણ શેરી એવી નહી હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય! ત્યારે દિવસેને દિવસે વધતાં જતા રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા તંત્રએ મન માંનવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.ખુદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને SP પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગરના જાહેર રસ્તાઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયા ઢોરને રખડતાં ન મૂકવા માટે તેમના માલીકોને આખરી સૂચના સાથે નોટીસ ફટકારવામાં આવી હતી. મહત્વું છે કે જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મનપાની વિવિધ શાખાઓ અને પોલીસ કાફલો આ કામગીરી દરમિયાન હાજર રહ્યો હતો.
વારંવાર ઢોરના ત્રાસનો ભોગ બનતા લોકો
નોંધનિય છે કે જામનગરમાં રખડતા ઢોરને લઈને ભૂતકાળમાં ગંભીર જીવલેણ અકસ્માતો બન્યા હતા. આશરે ત્રણ માસની અંદર બે વૃદ્ધો ઢોરની અડફેટે ચડયા બાદ મોતને શરણ થયા હતા. પોતાની પત્ની સાથે જઈ રહેલા વૃદ્ધને ખુંટિયાએ હડફેટે લેતા બંને દંપતિ ઘવાયા હતા જેમાં દામજીભાઈ બુસા (ઉં.વ.75) નામના વૃદ્ધ પોતાની પત્ની સાથે ગત નું લાંબા સારવાર બાદ મૃત્યુ થયું હતું. ઉપરાંત અમુક કિસ્સાઓમાં તો રખડતા ઢોરે લોકોના ઘરમાં ઘૂસીને પણ હુમલા કર્યાના પુરાવા છે.
લીલુ ઘાસ વેંચતા લોકો પણ ઢોરના ત્રાસ પાછળ અમુક અંશે જવાબદાર
લોકોમાં ચર્ચાતી વિગત મુજબ જામનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસ પાછળ લીલુ ઘાસ વેંચતા લોકો પણ અમુક અંશે જવાબદાર છે. આવા લોકો ઢોરોને લીલુ નાખી ભેગા કરે છે, ત્યારબાદ લીલુ ખાઇ લીધા બાદ ઢોર તોફાને ચડે છે. નોંધનિય છે કે મહાપાલિકાએ અગાઉ લીલુ વેંચતા લોકો સામે ફોજદારી નોંધાવી હતી, જે બાદ ફરી રાબેતા મુજબ ચાલુ થઇ ગયું છે. જે અંગે પણ ઘટતું કરવા જણાવાયું છે.